ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ.પ્રશાંત મેરજાની ૧૪ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ.પ્રશાંત મેરજાની ૧૪ મી પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી માળીયા (મીં) ના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના જયેષ્ઠ પુત્ર ડૉ.પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની ભર યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતાં તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે નિદાનસારવાર અને મફત દવા આપવાના માનવતાલક્ષી કેમ્પો પ્રસંગોપાત છેલ્લા ૧૪ વર્ષથી યોજવામાં આવતા હોય છે.

આગામી તા. ૧૭ એપ્રિલ ને રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા સુધી ક્રિષ્ના હોલ કંડલા બાયપાસ રોડ વાવડી ચોકડી અતુલ ઓટોની બાજુમાં મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં અવાયું છે ત્યારે શિવરામદાસ બાપુ (મહંત કબીર આશ્રમ) પણ હાજર રહેશે અને આ કેમ્પમાં ડૉ. ભાવિન ગામી (જનરલ ફિઝીશીયન તથા ફેફસાના રોગના નિષ્ણાંત), ડૉ. હિતેષ કણઝારિયા (જનરલ ફિઝીશીયન), ડૉ. શરદ રૈયાણી (બાળ રોગના નિષ્ણાંત), ડૉ. સુકાલીન મેરજા (ઓર્થોપેડિક સર્જન), ડૉ. ભૂમિ ભાડેશિયા (નાકકાન અને ગળાના રોગના નિષ્ણાંત)ડૉ.ભાવેશ શેરશિયા (ચામડીના રોગના નિષ્ણાંત) ડૉ.કૃપા મેરજા (આંખના સર્જન) વિગેરે સેવા આપશે જેથી કરીને આ મેડિકલ કેમ્પના આયોજક મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી બ્રિજેશ મેરજા, ડૉ.ભાવિન ગામી અને સન્ની મેરજાએ દર્દીઓને બહોળો લાભ લેવા અનુરોધ કર્યો છે.






Latest News