મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ


SHARE













મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ

મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત એક અલગ પ્રકારની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.આ ઝુંબેશમાં મોરબી જિલ્લાની સમગ્ર સનાતની હિંદુ જનતાને જ્ઞાતિવાદ મૂકીને હિન્દુ બનીએ એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ.એવા મેસેજ સાથે તેમની સંસ્થા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા મોટર સાયકલ, રિક્ષામાં, કારમાં, ધંધા રોજગારના સ્થળ ઉપર તેમજ હવે તો મોબાઈલ  ઉપર પણ હિન્દુ લખેલું સ્ટીકર લગાડવામાં આવી રહ્યું છે.આ કાર્ય જોઈ દરેક નાના-મોટા યુવાનો વડીલો બહેનો અને વેપારીઓ આ ઝુંબેશમાં જોડાવા માંડ્યા છે.

એટલું જ નહીં દરેક હિંદુના ઘર, ઓફિસ, દુકાન, ધંધા-રોજગાર ઉપર આપણો ભગવો ધ્વજ  લહેરાવી શકાય, તે માટે નિ:શુક્લ ધ્વજની વહેંચણી પણ કરવામાં આવી રહી છે અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે તો જે પણ હિંદુ સનાતની ભાઈઓ-બહેનોને સ્ટીકર કે ધજા લગાવવા ઇચ્છતા હોય તે લોકો વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયમા સંપર્ક કરે સાથોસાથે જે વેદો અને શાસ્ત્રો આપણે ભૂલી ગયા છીએ.તે વૈદિક સંસ્કૃતિને પણ જાગૃત કરવા ઘરે ઘરે વેદો પહોંચાડવામાં આવી રહ્યા છે.રામસેતુ પુલ બાંધવામાં જૈમ ખિસકોલીએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી.તેવી જ રીતે હિન્દુ  જાગૃતિ અભિયાન અને આપણી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના આવા અથાગ પ્રયત્નો કરવામાં હિન્દુ ઓમ સનાતન સંગઠનની કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે અને સપોર્ટ પણ કરી રહ્યા છે.








Latest News