ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ


SHARE













મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન શરૂ

મોરબીમાં હિન્દુ ઓમ સનાતન સંગઠન દ્વારા હિંદૂ જાગૃતિ અભિયાન અંતર્ગત એક અલગ પ્રકારની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે.આ ઝુંબેશમાં મોરબી જિલ્લાની સમગ્ર સનાતની હિંદુ જનતાને જ્ઞાતિવાદ મૂકીને હિન્દુ બનીએ એક બનીએ અને સંગઠિત થઈ જ્ઞાતિવાદ બંધ કરીએ.એવા મેસેજ સાથે તેમની સંસ્થા અને તેમના કાર્યકર્તાઓ દ્વારા મોટર સાયકલ, રિક્ષામાં, કારમાં, ધંધા રોજગારના સ્થળ ઉપર તેમજ હવે તો મોબાઈલ  ઉપર પણ હિન્દુ લખેલું સ્ટીકર લગાડવામાં આવી રહ્યું છે.આ કાર્ય જોઈ દરેક નાના-મોટા યુવાનો વડીલો બહેનો અને વેપારીઓ આ ઝુંબેશમાં જોડાવા માંડ્યા છે.

એટલું જ નહીં દરેક હિંદુના ઘર, ઓફિસ, દુકાન, ધંધા-રોજગાર ઉપર આપણો ભગવો ધ્વજ  લહેરાવી શકાય, તે માટે નિ:શુક્લ ધ્વજની વહેંચણી પણ કરવામાં આવી રહી છે અને ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે તો જે પણ હિંદુ સનાતની ભાઈઓ-બહેનોને સ્ટીકર કે ધજા લગાવવા ઇચ્છતા હોય તે લોકો વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલયમા સંપર્ક કરે સાથોસાથે જે વેદો અને શાસ્ત્રો આપણે ભૂલી ગયા છીએ.તે વૈદિક સંસ્કૃતિને પણ જાગૃત કરવા ઘરે ઘરે વેદો પહોંચાડવામાં આવી રહ્યા છે.રામસેતુ પુલ બાંધવામાં જૈમ ખિસકોલીએ પણ પોતાની ભૂમિકા ભજવી હતી.તેવી જ રીતે હિન્દુ  જાગૃતિ અભિયાન અને આપણી સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાના આવા અથાગ પ્રયત્નો કરવામાં હિન્દુ ઓમ સનાતન સંગઠનની કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે અને સપોર્ટ પણ કરી રહ્યા છે.






Latest News