મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે


SHARE













વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે

 આવતી કાલ તા.૧૯ ના જરૂરીયાતમંદ પરિવારની ૧૧ દીકરીઓનો સમુહલગ્નનું આયોજન

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને શ્રી સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરાયેલ છે.આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્નોત્સવ ઉજવાશે.સમૂહ લગ્નોત્સવ નિમિતે આજે તા. ૧૮ ને સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આવતી કાલ તા.૧૯ ના રોજ સવારે હવન અને ત્યારબાદ ફૂલેકું યોજાશે જેમા હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા અને હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે.બપોરે સમુહપ્રસાદ તેમજ સંતો-મહંતોની હાજરીમાં દિકરીઓના હસ્ત મેળાપ બાદ સંતો-મહંતો આશીર્વાદ પાઠવશે અને ત્યારબાદ સાંજે વિદાય સમારોહ યોજાશે.




Latest News