મોરબી આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરાશે
વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે
SHARE
વાંકાનેરના રાતાવીરડા ગામે હેલીકોપ્ટરથી પુષ્પવર્ષા હાથી ઘોડાગાડી સાથે ૧૧ નિરાધાર દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે
આવતી કાલ તા.૧૯ ના જરૂરીયાતમંદ પરિવારની ૧૧ દીકરીઓનો સમુહલગ્નનું આયોજન
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને શ્રી સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન કરાયેલ છે.આ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્નોત્સવ ઉજવાશે.સમૂહ લગ્નોત્સવ નિમિતે આજે તા. ૧૮ ને સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આવતી કાલ તા.૧૯ ના રોજ સવારે હવન અને ત્યારબાદ ફૂલેકું યોજાશે જેમા હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા અને હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે.બપોરે સમુહપ્રસાદ તેમજ સંતો-મહંતોની હાજરીમાં દિકરીઓના હસ્ત મેળાપ બાદ સંતો-મહંતો આશીર્વાદ પાઠવશે અને ત્યારબાદ સાંજે વિદાય સમારોહ યોજાશે.