મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં કોઇ કોઇને નડે નહીં તેનું ધ્યાન રાખવા મુકાયેલ સીસીટીવીનો પોલ જ નડતરરૂપ..?!


SHARE









મોરબીમાં કોઇ કોઇને નડે નહીં તેનું ધ્યાન રાખવા મુકાયેલ સીસીટીવીનો પોલ જ નડતરરૂપ..?!

મોરબી પાલિકામાં ભાજપની હાલ બહુમતી છે તે રીતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપની બોડી છે છતાં પણ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તેમાં બેમત નથી.કારણકે નાની-મોટી બાબતોમાં પણ ધ્યાન આપવામાં આવતું નથી અને તે બાબતો સમય જતા માથાના દુખાવારૂપ બની જાય છે તે નવી વાસ્તવિકતા છે.તે અંગે વધુમાં મળતી વિગત મુજબ મોરબીમાં થતાં સરકારી કામો ઉપર યેનકેન પ્રકારે યોગ્ય સુપરવિઝન કરવામાં આવતુ નથી અને તેના કારણે કોન્ટ્રાકટરોને હાલ બખ્ખા થઈ ગયા હોય તેનો ઘાટ છે અને તેનો લાભ જવાબદાર અધિકારી-પદાધિકારીઓને પણ મળતો જ હોય તેવો પ્રજામાંથી પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે તેવામાં અહીંના જાગૃત નાગરિકે મોરબીના મુખ્ય માર્ગો ઉપર લોકોનું ધ્યાન રાખવા માટે લગાવવામાં આવેલો સીસીટીવી કેમેરાનો પોલ જ નડતરરૂપ હોય તેનું યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાલીકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી છે.તેમા તેઓએ જણાવ્યું છેકે શનાળા રોડ ઉપર આવેલા ઉમિયા સર્કલ પાસે રોડની વચ્ચોવચ સીસીટીવી કેમેરાનો પોલ આવેલ હોવાથી ટ્રાફિકમાં નડતરરૂપ થાય છે.તેમજ વાહનચાલકોને તેના લીધે હેરાનગતી ભોગવવી પડે છે માટે આ નડતરરૂપ પોલ લોકોસુવીધા માટે રોડ વચ્ચેથી હટાવવો જોઇએ.અત્રે ઉલ્લેખનીય છે કે આ રજૂઆત સામાજિક કાર્યકરે કરી છે જોકે આ વિસ્તારમાં આવતા કાઉન્સીલરો કે આ રોડ ઉપરથી નીકળતા રાજયમંત્રી સહિતના જવાબદાર રાજનેતાઓને કેમ આવી નાની મોટી લોક સમસ્યાઓ દેખાતી નથી..? એટલે કે આવી નાની વાતમાં પણ મોરબીવાસીઓએ હેરાનગતી ભોગવવી પડે છે. બધું રૂડુરૂડુ બતાવવામાં આવે છે જોકે ખરી વાસ્તવિકતા તેનાથી કંઈક ઓર જ છે.શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે આ સીસી કેમેરાના પોલ રોડ વચ્ચે હોવાથી દલવાડી સર્કલ સાઇડથી આવતા વાહનચાલકોને વળાંકમાં મુશ્કેલી પડે છે.વળી આ પોલમાં સીસી કેમેરો લગાવેલ પણ નથી..?! માટે પ્રજાને કનડતા આવા નાના-મોટા પ્રશ્નો અંગે રાજનેતાઓ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે.






Latest News