મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંભારીયા ગામને પીવાનું પાણી પહોચડવા ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રીની તાકીદ


SHARE









માળીયા (મી)ના કુંભારીયા ગામને પીવાનું પાણી પહોચડવા ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રીની તાકીદ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના કુંભારીયા ગામે પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ અંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગત રસ લઇને અધિકારીને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક કરીને તાત્કાલીક પાણી વિતરણના પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું હતું. અને ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રી મેરજાએ અધિકારીઓને તાકીદ કરી હતી

મોરબી માળીયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સંબંધિત અધિકારીઓને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાણી પ્રશ્ને ગ્રામજનોના પ્રશ્નો અને ઉકેલ બાબતે વ્યાપક ચર્ચા વિચારણા હાથ ધરીને સમસ્યાનું નિવારણ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અને કુંભારીયા ગામમાં આવતી પાઇપ લાઇનમાં વચ્ચે ૩૦૦ મિટર સુધી પાણીની લાઇનમાં ફોલ્ટ આવી ગયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. તેમજ પાણીની લાઇન ચોક-અપ થઇ ગઇ હોય તેને  ચેક કરવા અને સંપમાં પૂરતું પાણી આપવા માટે પાણી પૂરવઠા બોર્ડને તાકીદ કરી હતી અને સંપમાંથી ઘરે-ઘરે પાણી આપવાની જવાબદારી ગ્રામ પંચાયતે નિભાવવી પડશે તેમ મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું. આ પાઇપ લાઇનમાં ભૂતિયા કનેક્શનોને દૂર કરવા અંગે ગ્રામજનોની રજૂઆત કરી હતી જેને પગલે મંત્રીએ મામલતદારને ભૂતિયા કનેક્શન ધારકો સામે પોલીસ કેસ કરવા તાકીદ કરી હતી.આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર વાય.એમ.વાંકાણી, મામલતદાર ડી.સી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી આર.એ.કોંઢીયા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News