માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કુંભારીયા ગામને પીવાનું પાણી પહોચડવા ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રીની તાકીદ


SHARE

















માળીયા (મી)ના કુંભારીયા ગામને પીવાનું પાણી પહોચડવા ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રીની તાકીદ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના કુંભારીયા ગામે પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ અંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અંગત રસ લઇને અધિકારીને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક કરીને તાત્કાલીક પાણી વિતરણના પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યું હતું. અને ભૂતિયા કનેક્શનોને દૂર કરવા મંત્રી મેરજાએ અધિકારીઓને તાકીદ કરી હતી

મોરબી માળીયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સંબંધિત અધિકારીઓને સાથે રાખીને ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાણી પ્રશ્ને ગ્રામજનોના પ્રશ્નો અને ઉકેલ બાબતે વ્યાપક ચર્ચા વિચારણા હાથ ધરીને સમસ્યાનું નિવારણ લાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. અને કુંભારીયા ગામમાં આવતી પાઇપ લાઇનમાં વચ્ચે ૩૦૦ મિટર સુધી પાણીની લાઇનમાં ફોલ્ટ આવી ગયું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. તેમજ પાણીની લાઇન ચોક-અપ થઇ ગઇ હોય તેને  ચેક કરવા અને સંપમાં પૂરતું પાણી આપવા માટે પાણી પૂરવઠા બોર્ડને તાકીદ કરી હતી અને સંપમાંથી ઘરે-ઘરે પાણી આપવાની જવાબદારી ગ્રામ પંચાયતે નિભાવવી પડશે તેમ મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું. આ પાઇપ લાઇનમાં ભૂતિયા કનેક્શનોને દૂર કરવા અંગે ગ્રામજનોની રજૂઆત કરી હતી જેને પગલે મંત્રીએ મામલતદારને ભૂતિયા કનેક્શન ધારકો સામે પોલીસ કેસ કરવા તાકીદ કરી હતી.આ બેઠકમાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર વાય.એમ.વાંકાણી, મામલતદાર ડી.સી.પરમાર, તાલુકા વિકાસ અધિકારી આર.એ.કોંઢીયા, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News