મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનની સગાઈની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરી પથ્થરના છૂટા ઘા કરાયા


SHARE









મોરબીમાં બહેનની સગાઈની ના પાડતાં યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરી પથ્થરના છૂટા ઘા કરાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગર વિસ્તારમાં રહેતા યુવાનને મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બાદમાં તેણે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીના ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગર વિસ્તારમાં રહેતા રહેતા ચંદ્રેશભાઇ નંદલાલભાઇ સોનગ્રા નામના ૨૭ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર લીધા બાદ તેણે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે જયંતિ દાનાભાઇ અને દાનાભાઈ રહે.બંને ગણેશનગર તેમજ મોરબીના વાવડી રોડ ઉપરની કારીયા સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ અને પ્રકાશભાઇ એમ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં રહેતા જેન્તીભાઈએ ફરીયાદી ચંદ્રેશભાઇને તેની બહેનની સગાઇ પોતાના સાળા જીગ્નેશ સાથે કરવા માટે વાતચીત કરી હતી જે બાબતે તેઓ બે-ત્રણ વખત વાતચીત કરવા માટે ચંદ્રેશભાઇના ઘરે પણ આવ્યા હતો જોકે ચંદ્રેશભાઇએ આ સગાઇ માટે ના પાડી હતી કારણ કે ચંદ્રેશભાઇ પોતાની બહેનની સગાઇ જીગ્નેશ સાથે કરવા માંગતા ન હોય સગાઇ બાબતે ના પાડતાં ઝઘડો થયો હતો અને બોલાચાલી બાદ જીગ્નેશે ચંદ્રેશભાઈને માથામાં પાઈપ ફટકારી દેતાં ચંદ્રેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઝઘડા દરમિયાન ઉપરોક્ત ચારેય શખ્સોએ ચંદ્રેશભાઇના ઘર ઉપર પથ્થરમારો પણ કર્યો હતો.હાલ ચંદ્રેશભાઇ સોનગ્રાની ફરિયાદ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે જયંતીભાઈ, દાનાભાઈ, જીગ્નેશભાઈ અને પ્રકાશભાઇ એમ ચાર ઇસમો વિરુદ્ધ કલમ ૩૨, ૩૨૪, ૩૩૭, ૫૦૪ અને ૧૧૪ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો જેની આગળની તજવીજ એ ડિવિઝન પીએસઆઈ એમ.પી.સોનારા ચલાવી રહ્યા છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા મૂર્તિલાલ મોહનલાલ નામના ૪૫ વર્ષીય યુવાનને કંડલા બાઈપાસ ઓવરબ્રીજની પાસે રવિરાજ ચોકડી નજીક વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો છે.બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસે નોંધ અંગે નોંધ કરીને બનાવવાની આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળાની પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં રફાળેશ્વર ગામે રહેતા પ્રાણકૃષ્ણ જેના નામના ૫૮ વર્ષીય આધેડને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.






Latest News