માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો


SHARE

















ટંકારામાં ટાઇલ્સ ટ્રેડર્સે લીધેલ પૈસા ત્રણ ગણા ચુકવ્યા છતાં ધમકી, બે સામે ગુનો નોંધાયો

ટંકારા પડથરમાં ગુન્હેગારો ફાટીને ધુમાડે ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે તાજેતરમાં વેપારીની ગોળી ધરબીને હત્યા કરી ખંડણી માંગવાના બનાવ બાદ વ્યાજખોરોના પાપે વેપારીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં સિરામીક ટાઇલ્સના વેપારમાં ખોટ જવાથી ૧૦ ટકા વ્યાજે નાણાં લઈ ત્રણ ગણા રૂપિયા ચૂકવી દેવા છતાં બે આરોપીઓએ જાનથી મારી નાખવા યુવાનને ધમકી આપતા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રા નામના યુવાનને ધંધામાં ખોટ જતા ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા તે યુવાને ઘર છોડી દીધું હતું.

બાદમાં તેમના પરિવારજનો તેમજ પરિચિતો દ્વારા બન્ને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા હિંમત આપતા આ મામલે અંતે ભોગ બનેલા બીપીનભાઈ કાસુન્દ્રાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વ્યાજખોર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનયમ તેમજ આઈપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




Latest News