માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડમાં આજથી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ


SHARE

















મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડમાં આજથી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ

મોરબીમાં રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કથા આજે તા ૨૬ થી શરૂ થવાની છે અને દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી કથા ચાલુ રહેશે અને સાળંગપુરધામના હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે.

મોરબીમાં સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા  કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, તા ૨૬ થી ૩૦ સુધી હનુમાન ચાલીસા  કથા યોજાશે જેમાં રોજ રાતે ૯ કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે અને ૧૦:૩૦ કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. ત્યારે હનુમાનજીને ૫૧ કિલોની કેક ધરવામાં આવશે. અને ૧૦૮ કિલો પુષ્પવર્ષા કરવામાં આવશે અને તા ૨૮ ના રોજ કથા સ્થળે ૮ થી ૧૦ બે કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ અને તા ૨ મે ના રોજ રાતે ૧૧:૩૦ કલાકે કથાની પૂર્ણાહુતિ થશે




Latest News