મોરબી નજીકથી 2500 લિટર જવલંતશીલ પદાર્થ ભરેલ ટેન્કર અને બે ટ્રક સહિત 72.25 લાખનો મુદામાલ કબ્જે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ ભરતી માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન અને રખડતા ઢોર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ-૨ ડેમ ખાતે બોટ ડ્રીલનું આયોજન કરાયું મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE













મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા યુવાનને તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાને બેસવા માટે કહે લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા જય હીતેન્દ્રભાઈ ભટ્ટ જાતે બ્રાહ્મણ (ઉંમર ૧૯) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની તપાસ કરતાં હેડ કોન્સટેબલ એફ.આઈ.સુમરા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મૃતક યુવાન કામ ધંધો કરતો ન હતો અને રખડતો જેથી તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાનમાં ધ્યાન આપવા માટે અને ત્યાં બેસવા માટે કહ્યું હતુ જેથી કરીને લાગી આવતા યુવાને આપઘાત કરી લીધેલ છે








Latest News