મોરબીમાં સનસીટીના ગ્રાઉન્ડમાં આજથી હનુમાન ચાલીસા કથાનો પ્રારંભ
મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650948101.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના રંગપર ગામે પિતાએ કરિયાણાની દુકાને બેસવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા યુવાનને તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાને બેસવા માટે કહે લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા જય હીતેન્દ્રભાઈ ભટ્ટ જાતે બ્રાહ્મણ (ઉંમર ૧૯) નામના યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની તપાસ કરતાં હેડ કોન્સટેબલ એફ.આઈ.સુમરા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મૃતક યુવાન કામ ધંધો કરતો ન હતો અને રખડતો જેથી તેના પિતાએ તેઓની કરિયાણાની દુકાનમાં ધ્યાન આપવા માટે અને ત્યાં બેસવા માટે કહ્યું હતુ જેથી કરીને લાગી આવતા યુવાને આપઘાત કરી લીધેલ છે
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)