ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE







મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સિરામિક કારખાના લેવર કવાર્ટરમાં રહેતી પરિણીતા એસિડ પી ગઈ હતી જેથી તે પરિણીતાને સારવારમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નિપજ્યું છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ભીમાણી સીરામીક કંપનીની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી  અનીતાબેન ઉર્ફે ડાકુબેન જીવણભાઈ ગુર્જર (૨૮) ગત તા. ૨૦/૪ ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તા.૨૫/૪ ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક મહિલાના લગ્નગાળો દસ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને મહિલા ભૂલથી એસિડ પી ગઈ હોવાનું તેને પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું હાલમાં આ બનાવથી બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News