માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE













મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સિરામિક કારખાના લેવર કવાર્ટરમાં રહેતી પરિણીતા એસિડ પી ગઈ હતી જેથી તે પરિણીતાને સારવારમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નિપજ્યું છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ભીમાણી સીરામીક કંપનીની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી  અનીતાબેન ઉર્ફે ડાકુબેન જીવણભાઈ ગુર્જર (૨૮) ગત તા. ૨૦/૪ ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તા.૨૫/૪ ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક મહિલાના લગ્નગાળો દસ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને મહિલા ભૂલથી એસિડ પી ગઈ હોવાનું તેને પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું હાલમાં આ બનાવથી બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News