મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ માળીયા (મી)ના મોટાભેલા ગામનો બનાવ: કામ બાબતે ઠપકો આપતા પિતાની દીકરાએ કરી નાખી હત્યા વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE











મોરબીના બંધુનગર પાસે કારખાના કવાર્ટરમાં એસિડ પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે સિરામિક કારખાના લેવર કવાર્ટરમાં રહેતી પરિણીતા એસિડ પી ગઈ હતી જેથી તે પરિણીતાને સારવારમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તે મહિલાનું મોત નિપજ્યું છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે ભીમાણી સીરામીક કંપનીની અંદર રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી  અનીતાબેન ઉર્ફે ડાકુબેન જીવણભાઈ ગુર્જર (૨૮) ગત તા. ૨૦/૪ ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જોકે સારવાર કારગત ન નિવડતા તા.૨૫/૪ ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક મહિલાના લગ્નગાળો દસ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે અને મહિલા ભૂલથી એસિડ પી ગઈ હોવાનું તેને પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું હાલમાં આ બનાવથી બાળકે માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News