મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની તિથીએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામે માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની તિથીએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના મહેન્દ્ર ગામના માજી સરપંચ અને લડાયક નેતા એવા સ્વ. અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક સ્મરણાંજલિના દિવસે આજે તા.૩/૫ ને મંગળવારના રોજ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પના ગ્રાઉન્ડમાં રાત્રે ૮ કલાકે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામ દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તેમજ અન્ય સંતો મહંતો હાજર રહેશે તે ઉપરાંત આ કાર્યક્રમમાં લોકપ્રિય ભજનિક શૈલેષભાઈ મહારાજ અને યુવા સાહિત્ય કલાકાર રવિન્દ્ર સોલંકી દ્વારા પોતાની કલા કૃતિઓને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે આ સત્સંગ સંધ્યામાં લોકોને હાજર રહેવા માટે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામના લોકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને આજે સવારે સીએનજી પમ્પના ગ્રાઉન્ડમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો સહિત ઘણા રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવેલ છે અને આ રક્તની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવશે તેવું કેતનભાઈ અશ્વિનભાઈ બોપલિયા અને વિશાલભાઈ અશ્વિનભાઈ બોપલિયાએ જણાવ્યુ છે




Latest News