મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે


SHARE













વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે

વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે આવેલ પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને તેમાં માતાજીના ભુવા સહિતના આગેવાનો હાજર રહેવાના હોય ઝાલા પરિવાર દ્વારા લોકોને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જૂના વઘાસીયા ગામે રહેતા જયુભા ભગવતસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ (રાજનભાઈ) ભગવતસિંહ ઝાલા દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે, જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામાં આવેલ છે અને તા,૮ ના રોજ સવારે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યાર બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯ ના રોજ થાંભલી વધાવવામાં આવશે આ તકે માતાજીના ભુવા માંલુભા રૂપસંગજી (વઘાસીયા) અને કમલના ભુવા કનુભા રઘુભા (સાદુળકા) હાજર રહેવાના હોય આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો-મહંતો અને આગેવાનો હાજર રહેવાના છે ત્યારે તમામ લોકોએ ધાર્મિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News