મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે


SHARE

















વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે

વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે આવેલ પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને તેમાં માતાજીના ભુવા સહિતના આગેવાનો હાજર રહેવાના હોય ઝાલા પરિવાર દ્વારા લોકોને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જૂના વઘાસીયા ગામે રહેતા જયુભા ભગવતસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ (રાજનભાઈ) ભગવતસિંહ ઝાલા દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે, જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામાં આવેલ છે અને તા,૮ ના રોજ સવારે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યાર બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯ ના રોજ થાંભલી વધાવવામાં આવશે આ તકે માતાજીના ભુવા માંલુભા રૂપસંગજી (વઘાસીયા) અને કમલના ભુવા કનુભા રઘુભા (સાદુળકા) હાજર રહેવાના હોય આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો-મહંતો અને આગેવાનો હાજર રહેવાના છે ત્યારે તમામ લોકોએ ધાર્મિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News