મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે


SHARE













વાંકાનેરના જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે

વાંકાનેર તાલુકાના જુના વઘાસીયા ગામે આવેલ પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને તેમાં માતાજીના ભુવા સહિતના આગેવાનો હાજર રહેવાના હોય ઝાલા પરિવાર દ્વારા લોકોને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા જૂના વઘાસીયા ગામે રહેતા જયુભા ભગવતસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ (રાજનભાઈ) ભગવતસિંહ ઝાલા દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે, જુના વઘાસીયા ગામે પારવારા શક્તિ માતાજીના મંદિરે નવરંગો માંડવો રાખવામાં આવેલ છે અને તા,૮ ના રોજ સવારે થાંભલી રોપણ કરવામાં આવશે ત્યાર બાદ રાત્રે ૮:૦૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯ ના રોજ થાંભલી વધાવવામાં આવશે આ તકે માતાજીના ભુવા માંલુભા રૂપસંગજી (વઘાસીયા) અને કમલના ભુવા કનુભા રઘુભા (સાદુળકા) હાજર રહેવાના હોય આ ધાર્મિક કાર્યક્રમમાં સંતો-મહંતો અને આગેવાનો હાજર રહેવાના છે ત્યારે તમામ લોકોએ ધાર્મિક કાર્યક્રમો અને પ્રસાદનો લાભ લેવા માટે થઈને આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News