મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ


SHARE













વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ

(શાહરૂખ ચૌહાણ) કહેવાય છે કે વાંકાનેર શહેર શાહબાવા અને નાગાબાવા બન્ને મિત્રોએ વસાવેલું શહેર છે. શાહબાવાના જીવનકાળ દરમ્યાન તેમને ઉપયોગ લીધેલા ગાદી, તકિયા ધોકો... વિગેરે આજે પણ વાંકાનેર રાજ પરિવારે સંપૂર્ણ ઇજ્જત સાથે સાચવીને રાખેલ છે. જેમને શાહબાવાના શ્રદ્ધાળુઓને દિદાર માટે રાજ પરિવાર દર વર્ષે ઉર્ષ કમિટીને આપે છે. લોકો તેમના દિદાર કરે છે. આ ગાદી-તકિયા અને પાઘડી વગેરે જેવી વસ્તુઓ.. જેને શાહબાવાએ જીવનમાં ઉપયોગમાં લીધેલી હતી એ વસ્તુઓ સાથે જોરાવીર પીરની દરગાહથી શાહબાવા દરગાહ સુધી  જુલુસમાં માર્કેટ ખાતે મુસ્લિમ એકતા ગૃપ દ્વારા ઠંડા પાણી અને શરબત છાશ વિતરણ કરવામાં આવ્યું હતું આ ગ્રુપ દ્વારા વાંકાનેર પીઆઇ એન.એ. વસાવા તથા હીરાભાઈ મજેઠીયા અને મમદભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાહબાવાને ત્યાં ચાદર ચઢાવવામાં આવે છે. આ વિધિમાં રાજ પરિવારના મહારાણા કેસરીદેવસિંહ અને ગુલમામદભાઈ બ્લોચે ખાસ હાજરી આપી હતી. તેઓએ પણ ચાદર ચઢાવી હતી. આ ઉર્ષમા વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાભરમાંથી શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતા અને તેઓ માટે ખાસ ન્યઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ન્યાઝની વ્યવસ્થા રામચોક, બાજુમાં આવેલ મંદિર અને બ્રાહ્મણની ભોજનશાળામાં રાખવામાં આવે છે. એ પણ એક હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે છે દરવર્ષે રમજાન ઈદના બીજા દિવસે શાહબાવાનો ઉર્ષ હોય છે. જેમા બપોરના ન્યાજ હોય છે અને રાત્રે ઈશાની નમાજ બાદ અંદર ચલાવવામાં આવે છે.






Latest News