વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ


SHARE

















વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ

(શાહરૂખ ચૌહાણ) કહેવાય છે કે વાંકાનેર શહેર શાહબાવા અને નાગાબાવા બન્ને મિત્રોએ વસાવેલું શહેર છે. શાહબાવાના જીવનકાળ દરમ્યાન તેમને ઉપયોગ લીધેલા ગાદી, તકિયા ધોકો... વિગેરે આજે પણ વાંકાનેર રાજ પરિવારે સંપૂર્ણ ઇજ્જત સાથે સાચવીને રાખેલ છે. જેમને શાહબાવાના શ્રદ્ધાળુઓને દિદાર માટે રાજ પરિવાર દર વર્ષે ઉર્ષ કમિટીને આપે છે. લોકો તેમના દિદાર કરે છે. આ ગાદી-તકિયા અને પાઘડી વગેરે જેવી વસ્તુઓ.. જેને શાહબાવાએ જીવનમાં ઉપયોગમાં લીધેલી હતી એ વસ્તુઓ સાથે જોરાવીર પીરની દરગાહથી શાહબાવા દરગાહ સુધી  જુલુસમાં માર્કેટ ખાતે મુસ્લિમ એકતા ગૃપ દ્વારા ઠંડા પાણી અને શરબત છાશ વિતરણ કરવામાં આવ્યું હતું આ ગ્રુપ દ્વારા વાંકાનેર પીઆઇ એન.એ. વસાવા તથા હીરાભાઈ મજેઠીયા અને મમદભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાહબાવાને ત્યાં ચાદર ચઢાવવામાં આવે છે. આ વિધિમાં રાજ પરિવારના મહારાણા કેસરીદેવસિંહ અને ગુલમામદભાઈ બ્લોચે ખાસ હાજરી આપી હતી. તેઓએ પણ ચાદર ચઢાવી હતી. આ ઉર્ષમા વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાભરમાંથી શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતા અને તેઓ માટે ખાસ ન્યઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ન્યાઝની વ્યવસ્થા રામચોક, બાજુમાં આવેલ મંદિર અને બ્રાહ્મણની ભોજનશાળામાં રાખવામાં આવે છે. એ પણ એક હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે છે દરવર્ષે રમજાન ઈદના બીજા દિવસે શાહબાવાનો ઉર્ષ હોય છે. જેમા બપોરના ન્યાજ હોય છે અને રાત્રે ઈશાની નમાજ બાદ અંદર ચલાવવામાં આવે છે.




Latest News