મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતી કરનાર સામે લેવાશે કડક પગલાં


SHARE











મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ગેરરીતી કરનાર સામે લેવાશે કડક પગલાં

સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના હેઠળ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આ ખરીદીમાં તકનો ગેરલાભ લઇ કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરતા હોવાનું જણાતાં રાજ્ય સરકારે કડક ચેતવણી આપી છે. ઉપરાંત વાવેતર અંગેના ખોટા દાખલા જેવી ગેરરીતિ ખુલશે તો ખેડૂતો, સહકારી મંડળી, તલાટી મંત્રી વગેરે સામે પગલા ભરાવામાં આવશે.

ખેડૂતોને વાવેતર વગર વેચાણમાં ગેરલાભ ઉઠાવવાના પ્રયાસ બદલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની તમામ યોજનાઓમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવશે તેમ જણાવીને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઉમેર્યું છે કે, આ તમામ કિસ્સાઓમાં ટેકાના ભાવે ખરીદાયેલ ચણાના જથ્થાની કિમતનું ચુકવણું પણ કરવામાં આવશે નહી. ઉપરાંત ખરીદી માટે ગુજકોમાસોલ દ્વારા નિયુક્ત થયેલ સહકારી મંડળીને આગામી બે વર્ષ માટે ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિબંધિત કરવામાં આવશે તથા સહકારી વિભાગની અન્ય યોજનાઓમાં લાભ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ગામોમાં વાવેતરના ખોટા અપાયેલ દાખલાઓ માટે સબંધિત તમામ તલાટી કમ મંત્રીઓ સામે પણ વહીવટી પગલા ભરવામાં આવશે.સરકારી યોજનાઓમાં ગેરરીતિ સબબ સરકાર ખૂબ જ ગંભીર છે અને કડકમાં કડક પગલાં ભરવા કટિબદ્ધ છે. પરિણામે સાચા ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને તકનો ગેરલાભ ઉઠાવનાર વ્યક્તિઓ સામે સરકાર દ્વારા લેવાયેલ કડક પગલાને લીધે ગેરલાભ અટકશે તેમ જિલ્લા ખેતીવાડી આધિકારી દ્વારા જણાવાયું છે.






Latest News