વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પોસ્ટલ ટિકિટનું અનાવરણ કરાયું


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામના માજી સરપંચ સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પોસ્ટલ ટિકિટનું અનાવરણ કરાયું

મોરબીના મહેન્દ્ર ગામના માજી સરપંચ અને લડાયક નેતા એવા સ્વ. અશ્વિનભાઈ અંબારામભાઈ બોપલિયાની પ્રથમ વાર્ષિક સ્મરણાંજલિના દિવસે તા.૩/૫ ને મંગળવારના રોજ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સીએનજી પમ્પના ગ્રાઉન્ડમાં સવારે રક્તદાન કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ૨૨૦ બોટલ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી આ રક્તની બોટલો મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવેલ છે ત્યાર બાદ રાતે સમસ્ત બોપલિયા પરિવાર અને મહેન્દ્રનગર ગામ દ્વારા સત્સંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ અન્ય સંતો મહંતો હાજર રહ્યા હતા અને તેને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને બાદમાં લોકપ્રિય ભજનિક શૈલેષભાઈ મહારાજ અને યુવા સાહિત્ય કલાકાર રવિન્દ્ર સોલંકી દ્વારા પોતાની કલા કૃતિઓને લોકોની સમક્ષ રજૂ કરવામાં આવી હતી આ સત્સંગ સંધ્યામાં મોટી સંખ્યામાં લોકોને હાજર રહ્યા હતા અને પોસ્ટ વિભાગની સ્કીમ અંતર્ગત સ્વ. અશ્વિનભાઈ બોપલિયાની પોસ્ટલ ટિકિટ બનાવવામાં આવી છે જેનું અનાવરણ મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવું હતું તેવું કેતનભાઈ અશ્વિનભાઈ બોપલિયા અને વિશાલભાઈ અશ્વિનભાઈ બોપલિયાએ જણાવ્યુ છે




Latest News