વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ


SHARE









મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ

મોરબીના નાની વાવડી ગામે શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર ખાતે ત્રણ દિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામદેવજી મહારાજ, કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ અને ભક્ત હરજીભાટી તથા ડાલીબાઈ તેમજ ઘોડો અને ઈંડું, ધજા, સ્થંભ અને ટોકરાનો જીર્ણોધ્ધાર કરવામાં આવશે આ કાર્યક્ર્મ આજે તા ૯ થી શરૂ થયો છે અને તા ૧૧ સુધી ચાલશે

આજથી શરૂ થતાં યજ્ઞમાં આચાર્ય પદે નવા કટારીયાના મહંત ભાનુપ્રસાદ બાપુ હાજર રહેશે અને તેઓ યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરાવશે આજે તા. ૯ ને સોમવારે સવારે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, શ્રવણ, જલયાત્રા, તા. ૧૦ ને મંગળવારે આવાહિત દેવતાનું પૂજન, કુટીર કર્મ, શ્રી રામદેવજી મહારાજની રાજોપચાર પૂજા અને રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખેલ છે અને તા. ૧૧ ને બુધવારે મંદિરનું પ્રસાદ, વાસ્તુ પૂજન, શિખર કળશ અભિષેક, પ્રતિષ્ઠા હોમ અને શ્રીફળ હોમ આરતી અને સાંજે ૬ કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે તેવું શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર તરફથી જણાવવામાં આવ્યું છે






Latest News