વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ


SHARE

















મોરબીના નાની વાવડી ગામે રામદેવપીર મંદિરે આજથી ત્રિદિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠા શરૂ

મોરબીના નાની વાવડી ગામે શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર ખાતે ત્રણ દિવસીય જીર્ણોધ્ધાર ભાવ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અને રામદેવજી મહારાજ, કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ અને ભક્ત હરજીભાટી તથા ડાલીબાઈ તેમજ ઘોડો અને ઈંડું, ધજા, સ્થંભ અને ટોકરાનો જીર્ણોધ્ધાર કરવામાં આવશે આ કાર્યક્ર્મ આજે તા ૯ થી શરૂ થયો છે અને તા ૧૧ સુધી ચાલશે

આજથી શરૂ થતાં યજ્ઞમાં આચાર્ય પદે નવા કટારીયાના મહંત ભાનુપ્રસાદ બાપુ હાજર રહેશે અને તેઓ યજ્ઞ સહિતની ધાર્મિક વિધિ કરાવશે આજે તા. ૯ ને સોમવારે સવારે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કર્મ, શ્રવણ, જલયાત્રા, તા. ૧૦ ને મંગળવારે આવાહિત દેવતાનું પૂજન, કુટીર કર્મ, શ્રી રામદેવજી મહારાજની રાજોપચાર પૂજા અને રાત્રે ૯ કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખેલ છે અને તા. ૧૧ ને બુધવારે મંદિરનું પ્રસાદ, વાસ્તુ પૂજન, શિખર કળશ અભિષેક, પ્રતિષ્ઠા હોમ અને શ્રીફળ હોમ આરતી અને સાંજે ૬ કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે તેવું શ્રી નકલંક ધામ રામદેવપીર મંદિર તરફથી જણાવવામાં આવ્યું છે




Latest News