ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સની ખરીદી કરીને આપેલ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ


SHARE













મોરબીમાં ટાઇલ્સની ખરીદી કરીને આપેલ ચેક રીટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નના કેસમાં આરોપીઓને ધડોધડ સજા કરવામાં આવી રહી છે તેવામાં ચેક રીટર્નના વધુ એક કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ કરવામાં આવેલ છે અને તેમાથી ફરીયાદીને ચેકની રકમના ૯ ટકા વ્યાજ સહીત વળતર ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે

મોરબીની એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો ત્યારે ફરીયાદી સીમોલેક્ષ સીરામીક મકનસર પાસેથી આરોપી ઓમ સાઈ માર્બલના નંદસિંહ કિશનસિંહરહે. દહેરાદૂન વાળાએ વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરેલી હતી અને ફરીયાદીને બીલ મુજબની રકમ ૫૫૯૩૭૫ ચૂકવવાની હતી જે પેટે આરોપીએ ચેક આપેલો હતો જે ચેક બેંકમાં ભરતા ચેક પરત ફર્યો હતો જેથી ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્નની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ વી.એલ.પરદેશીની કોર્ટમાં વર્ષ- ૨૦૧૭ માં કરી હતી જે કેસના કામે સમન્સની બજવણી થતાં આરોપી કોર્ટમાં હાજર થયેલા અને ત્યારબાદ તેને બે વખત ૫૦-૫૦ હજાર એમ કુલ મળીને એક લાખ ફરીયાદીને ઓનલાઈન જમા કરાવેલા હતા .

ત્યારબાદ આરોપી જાતે મુદતે પુરાવાના કામે હાજર રહેલા નહી કે ફરીયાદીનો પુરાવો ઉલટ તપાસ લેવા વકીલ મારફતે હાજર રહેલા નહી જેથી કેસ ચાલી જતા ફરીયાદીના વકીલ જી.ડી.વરીયાની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઇઓને ધ્યાને લઈ એડી.ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ વી.એલ. પરદેશીએ આરોપી ઓમ સાઈ માર્બલના પ્રોપરાઇટર નંદસિંહ કેશનસિંહ રહે. દહેરાદૂન વાળાને તકસીરવાન ઠરાવીને આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા ૪૫૯૩૭૫ ની ડબલ રકમ રૂપીયા ૯૧૮૭૫૦ નો દંડ કરેલ છે તથા તે રકમમાથી ફરીયાદીને ચેકની રકમના નવ ટકા વ્યાજ સહીત વળતર ફરીયાદ કર્યા તારીખથી ચૂકવવા હુકમ ફરમાવેલ છે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે જી.ડી.વરીયાબી.કે.ભટ્ટ તથા ટી.એસ.કોઠારી રોકાયેલા હતા






Latest News