મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

ટંકારા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સ્કુટર સવાર યુવાનનું મોત


SHARE











ટંકારા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સ્કુટર સવાર યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા ગામ પાસે નવા બનેલા પુલના છેડા પાસેથી સ્કુટર લઇને પસાર થતા યુવાનના સ્કુટરને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું.જેથી કરીને મૃતક યુવાનના પિતાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલકની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતના ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારામાં મોમીનવાસમાં રહેતા અને ઇમીટેશનનો ધંધો કરતા હાજીભાઇ અમીભાઈ ચૌધરી જાતે મોમીન (ઉંમર ૪૦) નો દીકરો વસીમ હાજીભાઈ ચૌધરી (ઉંમર ૧૭) પોતાનું એકસેસ સ્કુટર નંબર જીજે ૩૬ એમ ૨૦૮૯ લઈને ટંકારા પાસે નવા બનેલા પુના છેડા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઇ અજાણ્યા વાહનચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને વસીમને માથામાં અને શરીરના ભાગે જીવલેણ ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન વસીમનું મોત નીપજયું હતું.જેથી કરીને હાલમાં મૃતક યુવાનના પિતા હાજીભાઇ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા ટંકારા તાલુકા પોલીસ મથકના એમ.પી.ચાવડાએ ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકને ઝડપી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના શારદાનગર (વનાળીયા) ગામે રહેતો ચેતન પ્રભુભાઈ કુનપીયા નામનો ૩૩ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયો હતો બનાવને પગલે બીટ વિસ્તારના મહિલા જમાદાર એન.જે.ખડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના પ્રકાશ રમેશભાઈ મકવાણા નામના ૨૨ વર્ષીય યુવાનને મોરબીના નગર દરવાજા ચોક વિસ્તારમાં મારામારીમાં ઈજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News