મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે પ્લોટમાં વંડો બનાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામી ધબધબાટી : ફરિયાદો નોંધાય


SHARE











મોરબીના શનાળા ગામે પ્લોટમાં વંડો બનાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામી ધબધબાટી : ફરિયાદો નોંધાય

મોરબી નજીક શકત શનાળા ગામે બે પરિવારો વચ્ચે સામસામી મારામારી થતા ઇજાગ્રસ્તોને મોરબી તેમજ રાજકોટ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ પ્લોટમાં વંડો બનાવવા બાબતે ઝઘડો થયો હતો અને સામસામે ઢીકાપાટુ અને ઇંટ-પથ્થરના છુટા ઘા કરવામાં આવતા મારામારીમાં ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ રાજાભાઈ વાઘેલા (૩૦), સોનલબેન રાજાભાઈ વાઘેલા (૪૫) અને અરુણાબેન જીતેન્દ્રભાઇ વાઘેલા (૩૦) ને મારામારીમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.બાદમાં એ-ડિવિઝન પોલીસ મથક ખાતે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં સોનલબેન રાજાભાઈ ખીઆભાઇ વાઘેલા (૪૫) રહે.શકત શનાળા વાળાએ શકત શનાળા ગામે સાંઈબાબા મંદિર પાસે રહેતા નરેશ કેસુ વાઘેલા, નરેશભાઈની પત્ની સોનલબેન, મહેશ કેસુ વાઘેલા અને મહેશભાઈના પત્ની જોચ્સનાબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તથા તેમનો પરિવાર તેમના કાકાજી સસરા રામજીભાઈ માવજીભાઈના પ્લોટમાં વંડો બનાવી રહ્યા હતા ત્યારે સામે વાળાઓને સારું નહીં લાગતા ઝઘડો કર્યો હતો અને ઢીકાપાટુનો મૂઢ માર મારીને નાકના ભાગે ઢીકો માર્યો હતો અને છુટા ઇંટ પથ્થરના ઘા કર્યા હતા.

જ્યારે સામાપક્ષેથી મહેશ કેશુભાઈ વાઘેલા (૩૬) રહે.શકત શનાળા સાંઈબાબા મંદિર પાસે વાળાએ ત્યાં જ રહેતા જીતેન્દ્ર રામજી વાઘેલા, જીતેન્દ્રના પત્ની અરુણાબેન, જીતેન્દ્રની માતા સોનલબેન અને જિતેન્દ્રની બહેન રવિનાબેન એમ ચાર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, જીતેન્દ્રભાઈએ તેમની સાથે બોલાચાલી કરીને તેઓને મૂઢ માર માર્યો હતો અને તેમના પત્નીને કપાળના ભાગે ઇંટ મારી દીધી હતી તેમજ ફરિયાદીના ભાઈને પણ હાથના ભાગે ઇંટ મારીને ગાળો આપીને ઝપાઝપી કરવામાં આવી હતી.હાલ સામસામી ફરિયાદો લઈને બીટ વિસ્તારના જમાદાર નંદરામભાઈ મેસવાણિયાએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા રાજેન્દ્રસિંહ મોરબીથી ગાંગોદર માટી ભરવા માટે ટ્રક લઈને જતા હતા ત્યારે રસ્તામાં સુરજબારી સામખીયારી રોડ ઉપર શિકારપુર નજીક આવેલ સહયોગ હોટલની પાસે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં તેમના ટ્રકનો વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ઇજાઓ થવાથી રાજેન્દ્રસિંહને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.જયારે મોરબીના નગરદરવાજા વિસ્તારમાં લુહાર શેરીમાં પયબાપા સિતારામ ચોકની પાસે રહેતા સાગરસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર નામના ૨૫ વર્ષીય યુવાનને મામાજી દુકાન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.






Latest News