મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મારામારી : ચાર સામે ફરિયાદ નોંધાઇ


SHARE







મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મારામારી : ચાર સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘર પાસે ચપ્પલ ફેંકવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જે અંગે ભોગ બનેલા વૃદ્ધાએ ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ ન્યુ આદર્શ સોસાયટી ખાતે રહેતા શારદાબેન મુકેશભાઈ પાંચોટિયા જાતે પટેલ નામના ૬૫ વર્ષના વૃદ્ધાએ મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રમેશભાઇ રબારી, તેમના પત્ની મીનાબેન અને પુત્રીઓ નેહાબેન અને સુરજબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના જૂના મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મકાનની સાફ-સફાઈ કરવા માટે અને સંભાળ લેવા માટે ગયા હતા ત્યારે તેમના મકાનના ફળિયામાં કોઈના ચંપલ પડેલા હોય તે ચંપલ શારદાબેન પાંચોટીયાએ બહાર ફરતાં રમેશભાઈ રબારીએ "મારા ઘરની સામે ચંપલ કેમ ફેંકેલ છે..?" તેમ કહીને ઝઘડો કરી બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને બાદમાં શારદાબેનના ઘરમાં પ્રવેશીને રમેશભાઇએ શારદાબેનને ફડાકો ઝીંકી દીધો હતો અને બાદમાં રમેશભાઈના પત્ની અને દીકરીઓએ આવીને ફરિયાદી શારદાબેનના વાળ ખેંચી મૂઢ માર મારી ઇજા પહોંચાડી હતી.હાલ શારદાબેનની ફરિયાદ ઉપરથી એ ડીવીઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ ચાર સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ખરેડા ગામના ધનજીભાઈ કેશાભાઇ ડઢાણીયા નામના ૫૩ વર્ષીય આધેડ જીકીયારી ગામના ડેમના ક્રોઝવે પાસે ખરેડા-જીકીયારીની વચ્ચેથી જતાં હતા ત્યારે ૂાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર ભારતપરા સરોવરની પાળ પાસે કોમ્યુનીટી હોલની નજીક રહેતા કાજલબેન દેવાભાઈ સનુરા (૨૧) એ કોઈ અકળ કારણોસર એસીડ પી વેતા તેને સારવાર માટે ખસેડાયા હોય એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહીલા સારવારમાં

મોરબીના કાલીકાનગર વિસ્તારના રહેવાસી વિભૂતિબેન પ્રફુલભાઈ લાવડીયા નામના ૩૪ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ગામ પાસેના ઉમિયા ભરડીયા નજીક તેઓ બાઇકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે મોરબીના શનાળા રોડ શકિત પ્લોટ વિસ્તારમાં રહેતા શંકરભાઇ વેલજીભાઈ કોટક નગરદરવાજા તરફથી પોતાના ઘર તરફ જતા હતા તે સમયે જૂના બસ સ્ટેશન પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.






Latest News