વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી-માળીયા(મી)નાં બાવન ગામને કેનાલથી સિચાઈનું પાણી આપવાની મુખ્યમંત્રી જાહેરાત કરશે ?


SHARE











મોરબી-માળીયા(મી)નાં બાવન ગામને કેનાલથી સિચાઈનું પાણી આપવાની મુખ્યમંત્રી જાહેરાત કરશે ?

મોરબી અને માળીયા તાલુકાનાં બાવન ગામને સિચાઈનું પાણી મળી રહ્યું નથી તેની અનેક વખત રજૂઆત કરી છે જો કે, પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે વવાણિયા ગામે મુખ્યમંત્રી આવી રહ્યા છે માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને વધુ એક રજૂઆત કરીને બાવન ગામોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે ત્યારે ખેડૂતોના હિતની આ જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા. ૧૭ ના રોજ માળિયા તાલુકાના વવાણીયા ગામે ધાર્મિક કાર્યક્ર્મમાં આપ આવી રહ્યા છો ત્યારે મોરબી અને માળિયાના બાવન ગામોને સિચાઈ માટેનું પાણી મળી રહયું નથી અને આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે જો કે, હજુ સુધી ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યારે આ ગામોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૦ ની પેટા ચુંટણી સમયે પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે સરકાર જલ્દી યોગ્ય કરશે તેવી જાહેરાત કરી હતી જો કે, પેટા ચુંટણીમાં વિજય બનીને બ્રિજેશ મેરજા સરકારના મંત્રી બની ગયા છે જો કે, હજુ સુધી ખેડૂતોનો પ્રશ્ન ઊભો જ છે ત્યારે જો ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો આગામી ચુંટણીમાં આ મુદે લોકોની સાથે રહીને વિરોધ કરવામાં આવશે






Latest News