મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નીપજવનાર વાહનચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નીપજવનાર વાહનચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર આવતા ગાયત્રી ચેમ્બર પાસે અજાણ્યા વાહનચાલકે પગપાળા જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો જેથી કરીને યુવાનને ઈજાઓ થઈ હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના પિતા દ્વારા હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ ઉપર આવેલ વિધાતા પોટરી પાસે ધર્મનગરમાં રહેતા મૂળ ભાયાતિ જાંબુડિયા ગામના રહેવાસી માલાભાઈ પેથાભાઇ સાગઠીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૧૮/૪/૨૦૨૧ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં તેનો દીકરો રમેશભાઈ માલાભાઈ સાગઠીયા રહે. ભાયાતિ જાંબુડિયા ગામ વાળો પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો અને આ અકસ્માત સર્જીને વાહનચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો જોકે, ફરિયાદીના દીકરાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને બેભાન હાલતમાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું હાલમાં માટે મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે






Latest News