મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ત્રણને ઇજા


SHARE











મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક અને ટ્રાવેલ્સ અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ રાજસ્થાનીઓને ઇજા થઈ હતી જેથી તેમને સારવારમાં ખસેડાયા હતા

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામના પાટીયાથી લક્ષ્મીનગર પાટીયા વચ્ચે ગણેશ ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં પુરારામ ગામારામ જાટ, બાબુલાલ ભોમાંરામ જાટ રહે, ખટુ રાજસ્થાન અને ફરસારામ ઓમપ્રકાશ બીસનોઈ રહે. લાંબા રાજસ્થાન વાળા ત્રણને ઈજા પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

મારામારીમાં ઇજા

માળિયા-મિયાણાના વાંઢ વિસ્તારમાં રહેતા બચુભાઈ હુસેનભાઇ મોવરને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમના મોટા દીકરા ફિરોજે કોઈ કારણોસર બોલાચાલી ઝઘડો કર્યો હતો અને બાદમાં તેના પિતા બચુભાઈ ને માર માર્યો હતો જેથી કરીને તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

 






Latest News