મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી સામાકાંઠે રહેતા યુવાનનું ગાંધીધામ નજીક રોડ અકસ્માતમાં મોત


SHARE











મોરબી સામાકાંઠે રહેતા યુવાનનું ગાંધીધામ નજીક રોડ અકસ્માતમાં મોત

મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારની પાછળ આવેલા રામકૃષ્ણનગરમાં રહેતો વણીક યુવાન બાઇક લઇને ગાંધીધામ ગયો હતો જ્યાં ગાંધીધામના પડાણા ગામ પાસે રોડ અકસ્માતના બનાવમાં તેનું મોત નિપજતાં ડેડબોડી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે ગાંધીધામ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારની પાછળ આવેલા રામ કૃષ્ણનગરમાં રહેતા વૈભવ ધીરૂભાઈ પારેખ જાતે વાણીયા નામનો ૨૪ વર્ષીય યુવાન બાઇક લઇને કચ્છના ગાંધીધામ તરફ ગયો હતો અને ત્યાં પડાણા ગામે રામદેવપીરના મંદિર નજીક રોડ અકસ્માતના બનાવમાં તેનું મોત નિપજતા ડેડબોડી અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ ગાંધીધામ વિસ્તારમાં બન્યો હોય ગાંધીધામ પોલીસને બનાવ અંગે આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

અત્રે નોંધનીય છે કે મૃતક વૈભવ ધીરૂભાઇ પારેખ નામનો વણીક યુવાન મોરબીના સામાકાંઠે રામક્રૃષ્ણનગરમાં રહેતો હતો અને તેના પિતા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવાનું કામકાજ કરે છે.મૃતક યુવાન મોડીરાત્રીના બાઇક લઇને મોરબીથી ગાંધીધામ ગયો હતો અને ત્યાં પડાણા ગામ નજીક કોઈ કારણોસર તેનું રોડ અકસ્માતમાં મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.જો કે મૃતક યુવાન જે વિસ્તારમાં રહે છે તે મોરબીના સામાકાંઠે રામક્રૃષ્ણનગર વિસ્તારમાં લોકમુખે થતી ચર્ચા મુજબ યુવાન પોતાના ઘર નજીક પહેલાં રહેતા અને હવે ગાંધીધામ રહેવા ચાલ્યા ગયેલા પરિવારની કોઈ યુવતીને મળવા માટે ગયો હતો અને આ બનાવ બનેલ છે.આ વાતને લઇને મૃતકના રહેણાંક વિસ્તારમાં તરેહ તરેહની વાતો થતી હોય ગાંધીધામ પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરે તે જરૂરી બન્યુ છે.

ગુમ થયેલા યુવાનની ભાળ મળી

મોરબીના પંચાસર રોડ નાની કેનાલ રોડ ઉપર શિવ પેલેસમાં રહેતા અને મૂળ લખતર જોડીયા જામનગરના વતની હિતેશભાઈ જમનભાઈ ચનીયારા જાતે પટેલ નામનો ૨૮ વર્ષીય યુવાન કે જે રો-મટિરિયલનો ધંધો કરતો હતો તે ગત તા.૧૨-૫ ના સવારે દસેક વાગ્યે ઘરેથી કામે જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો.જે અંગે ઘરમેળે તપાસ કરી યુવાનના પિતા જમનભાઇે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેના ટેન્શનમાં હિતેશ ચનિયારા મોરબીથી ચોટીલા ત્યાંથી રાજકોટ અને બાદમાં પોતાના સાઢુ ભાઈને ત્યાં અમદાવાદ હોટલે આવ્યો હતો અને હાલ ગુમ થયેલ યુવાનની ભાળ મળી જતાં પોલીસ અને યુવાનના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.






Latest News