મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબી સામાકાંઠે રહેતા યુવાનનું ગાંધીધામ નજીક રોડ અકસ્માતમાં મોત


SHARE













મોરબી સામાકાંઠે રહેતા યુવાનનું ગાંધીધામ નજીક રોડ અકસ્માતમાં મોત

મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારની પાછળ આવેલા રામકૃષ્ણનગરમાં રહેતો વણીક યુવાન બાઇક લઇને ગાંધીધામ ગયો હતો જ્યાં ગાંધીધામના પડાણા ગામ પાસે રોડ અકસ્માતના બનાવમાં તેનું મોત નિપજતાં ડેડબોડી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જેથી મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે ગાંધીધામ પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારની પાછળ આવેલા રામ કૃષ્ણનગરમાં રહેતા વૈભવ ધીરૂભાઈ પારેખ જાતે વાણીયા નામનો ૨૪ વર્ષીય યુવાન બાઇક લઇને કચ્છના ગાંધીધામ તરફ ગયો હતો અને ત્યાં પડાણા ગામે રામદેવપીરના મંદિર નજીક રોડ અકસ્માતના બનાવમાં તેનું મોત નિપજતા ડેડબોડી અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ ગાંધીધામ વિસ્તારમાં બન્યો હોય ગાંધીધામ પોલીસને બનાવ અંગે આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

અત્રે નોંધનીય છે કે મૃતક વૈભવ ધીરૂભાઇ પારેખ નામનો વણીક યુવાન મોરબીના સામાકાંઠે રામક્રૃષ્ણનગરમાં રહેતો હતો અને તેના પિતા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્લાસ્ટિકની વસ્તુઓ વેચવાનું કામકાજ કરે છે.મૃતક યુવાન મોડીરાત્રીના બાઇક લઇને મોરબીથી ગાંધીધામ ગયો હતો અને ત્યાં પડાણા ગામ નજીક કોઈ કારણોસર તેનું રોડ અકસ્માતમાં મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.જો કે મૃતક યુવાન જે વિસ્તારમાં રહે છે તે મોરબીના સામાકાંઠે રામક્રૃષ્ણનગર વિસ્તારમાં લોકમુખે થતી ચર્ચા મુજબ યુવાન પોતાના ઘર નજીક પહેલાં રહેતા અને હવે ગાંધીધામ રહેવા ચાલ્યા ગયેલા પરિવારની કોઈ યુવતીને મળવા માટે ગયો હતો અને આ બનાવ બનેલ છે.આ વાતને લઇને મૃતકના રહેણાંક વિસ્તારમાં તરેહ તરેહની વાતો થતી હોય ગાંધીધામ પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરે તે જરૂરી બન્યુ છે.

ગુમ થયેલા યુવાનની ભાળ મળી

મોરબીના પંચાસર રોડ નાની કેનાલ રોડ ઉપર શિવ પેલેસમાં રહેતા અને મૂળ લખતર જોડીયા જામનગરના વતની હિતેશભાઈ જમનભાઈ ચનીયારા જાતે પટેલ નામનો ૨૮ વર્ષીય યુવાન કે જે રો-મટિરિયલનો ધંધો કરતો હતો તે ગત તા.૧૨-૫ ના સવારે દસેક વાગ્યે ઘરેથી કામે જવા નીકળ્યા બાદ ગુમ થઈ ગયો હતો.જે અંગે ઘરમેળે તપાસ કરી યુવાનના પિતા જમનભાઇે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેના ટેન્શનમાં હિતેશ ચનિયારા મોરબીથી ચોટીલા ત્યાંથી રાજકોટ અને બાદમાં પોતાના સાઢુ ભાઈને ત્યાં અમદાવાદ હોટલે આવ્યો હતો અને હાલ ગુમ થયેલ યુવાનની ભાળ મળી જતાં પોલીસ અને યુવાનના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.






Latest News