ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો


SHARE







વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો

મોરબી જીલ્લાના વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલા ચાવડી ચોક પાસેની તૈયબી મસ્જિદમાં લાકડી વડે યુવાન દ્વારા મસ્જીદની ઘડિયાળ તોડી નાખવામાં આવી હતી તેમ જ બારીમાં લાકડીઓ ફટકારીને મસ્જીદના બારીના કાચ તોડવામાં આવ્યા હતા જેને લઇને હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.

વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે મન્સુરભાઈ મોઇઝભાઈ લાકડાવાળા જાતે દાઉદીવોરા (૩૨) રહે.વાંકાનેર સીટી સ્ટેશન રોડ મહાવીર જીન પાસે વાળાએ મૂળ બિહારના ગોપાલગંજ વિસ્તારના રહેવાસી મનીષ શાહ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓની તૈયબી મસ્જદમાં ગેરકાયદેસર રીતે લાકડી સાથે મનીષ શાહ પ્રવેશ્યો હતો તેમજ ગાળો બોલીને મસ્જીદની ઘડિયાળમાં તેમજ બારીના કાચ અને બારીઓમાં લાકડી મારીને તોડફોડ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પીઆઇ એન.એ.વસાવાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જો કે ઝઘડો કયા કારણોસર થયો હતો તે હાલ જાણવા મળેલ નથી.

હળવદમાં અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામ પાસે હળવદ તરફ જતા પુલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૨૨૧ ના ચાલકે વાહન અકસ્માત સર્જાયો હતો અને પોતાના હવાલાની એસ.ટી.બસને બેદરકારીપૂર્વક રીતે ચલાવી આગળ જતા આઇસર વાહન નંબર જીજે ૨૩ ટી ૫૦૫૧ સાથે પાછળથી અથડાવતા આઇસરમાં નુકશાની પહોંચી હતી જેને લઇને આઇસરના માલિક દિલીપભાઇ ખીમજીભાઈ પઢારીયા જાતે રબારી (૩૪) ધંધો ડ્રાઇવિંગ રહે.કટુડા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ ઉપરોક્ત નંબરની એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હોય હાલ હળવદ પોલીસ મથકના ચેતનભાઇ કડવાતરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News