હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો


SHARE











વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો

મોરબી જીલ્લાના વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલા ચાવડી ચોક પાસેની તૈયબી મસ્જિદમાં લાકડી વડે યુવાન દ્વારા મસ્જીદની ઘડિયાળ તોડી નાખવામાં આવી હતી તેમ જ બારીમાં લાકડીઓ ફટકારીને મસ્જીદના બારીના કાચ તોડવામાં આવ્યા હતા જેને લઇને હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.

વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે મન્સુરભાઈ મોઇઝભાઈ લાકડાવાળા જાતે દાઉદીવોરા (૩૨) રહે.વાંકાનેર સીટી સ્ટેશન રોડ મહાવીર જીન પાસે વાળાએ મૂળ બિહારના ગોપાલગંજ વિસ્તારના રહેવાસી મનીષ શાહ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓની તૈયબી મસ્જદમાં ગેરકાયદેસર રીતે લાકડી સાથે મનીષ શાહ પ્રવેશ્યો હતો તેમજ ગાળો બોલીને મસ્જીદની ઘડિયાળમાં તેમજ બારીના કાચ અને બારીઓમાં લાકડી મારીને તોડફોડ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પીઆઇ એન.એ.વસાવાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જો કે ઝઘડો કયા કારણોસર થયો હતો તે હાલ જાણવા મળેલ નથી.

હળવદમાં અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામ પાસે હળવદ તરફ જતા પુલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૨૨૧ ના ચાલકે વાહન અકસ્માત સર્જાયો હતો અને પોતાના હવાલાની એસ.ટી.બસને બેદરકારીપૂર્વક રીતે ચલાવી આગળ જતા આઇસર વાહન નંબર જીજે ૨૩ ટી ૫૦૫૧ સાથે પાછળથી અથડાવતા આઇસરમાં નુકશાની પહોંચી હતી જેને લઇને આઇસરના માલિક દિલીપભાઇ ખીમજીભાઈ પઢારીયા જાતે રબારી (૩૪) ધંધો ડ્રાઇવિંગ રહે.કટુડા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ ઉપરોક્ત નંબરની એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હોય હાલ હળવદ પોલીસ મથકના ચેતનભાઇ કડવાતરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News