મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો


SHARE













વાંકાનેરમાં લાકડી વડે મસ્જીદની ઘડિયાળ અને બારીના કાચમાં તોડફોડ કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો

મોરબી જીલ્લાના વાંકાનેર સીટી વિસ્તારમાં આવેલા ચાવડી ચોક પાસેની તૈયબી મસ્જિદમાં લાકડી વડે યુવાન દ્વારા મસ્જીદની ઘડિયાળ તોડી નાખવામાં આવી હતી તેમ જ બારીમાં લાકડીઓ ફટકારીને મસ્જીદના બારીના કાચ તોડવામાં આવ્યા હતા જેને લઇને હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પામી છે.

વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે મન્સુરભાઈ મોઇઝભાઈ લાકડાવાળા જાતે દાઉદીવોરા (૩૨) રહે.વાંકાનેર સીટી સ્ટેશન રોડ મહાવીર જીન પાસે વાળાએ મૂળ બિહારના ગોપાલગંજ વિસ્તારના રહેવાસી મનીષ શાહ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓની તૈયબી મસ્જદમાં ગેરકાયદેસર રીતે લાકડી સાથે મનીષ શાહ પ્રવેશ્યો હતો તેમજ ગાળો બોલીને મસ્જીદની ઘડિયાળમાં તેમજ બારીના કાચ અને બારીઓમાં લાકડી મારીને તોડફોડ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હતો હાલ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પીઆઇ એન.એ.વસાવાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જો કે ઝઘડો કયા કારણોસર થયો હતો તે હાલ જાણવા મળેલ નથી.

હળવદમાં અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામ પાસે હળવદ તરફ જતા પુલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૩૨૨૧ ના ચાલકે વાહન અકસ્માત સર્જાયો હતો અને પોતાના હવાલાની એસ.ટી.બસને બેદરકારીપૂર્વક રીતે ચલાવી આગળ જતા આઇસર વાહન નંબર જીજે ૨૩ ટી ૫૦૫૧ સાથે પાછળથી અથડાવતા આઇસરમાં નુકશાની પહોંચી હતી જેને લઇને આઇસરના માલિક દિલીપભાઇ ખીમજીભાઈ પઢારીયા જાતે રબારી (૩૪) ધંધો ડ્રાઇવિંગ રહે.કટુડા તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ ઉપરોક્ત નંબરની એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હોય હાલ હળવદ પોલીસ મથકના ચેતનભાઇ કડવાતરે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News