મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ


SHARE













માળીયા(મી)ના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લાના વવાણીયા ખાતે આહિર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઇ માં ની જગ્યા મધ્યે પ્રવાસન વિભાગ દ્વારા આશરે ૩ કરોડના ખર્ચે નવનિર્મિત ભોજનાલય તથા સભાખંડના લોકાર્પણ પ્રસંગે પધાર્યા હતાં. આ લોકાર્પણ સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભૂવનની મુલાકાત  લીધી હતી અને મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન- કવન વિશે માહિતગાર બની કૃતજ્ઞતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી બટુકભાઇ શાહ, દિલુભા જાડેજા, અશ્વિનભાઈ શાહ, મહેન્દ્રભાઇ શાહ અને શિવાંગીબેન મોદી મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા




Latest News