મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ


SHARE













માળીયા(મી)ના વવાણીયા ગામે શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી જિલ્લાના વવાણીયા ખાતે આહિર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઇ માં ની જગ્યા મધ્યે પ્રવાસન વિભાગ દ્વારા આશરે ૩ કરોડના ખર્ચે નવનિર્મિત ભોજનાલય તથા સભાખંડના લોકાર્પણ પ્રસંગે પધાર્યા હતાં. આ લોકાર્પણ સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મ સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભૂવનની મુલાકાત  લીધી હતી અને મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન- કવન વિશે માહિતગાર બની કૃતજ્ઞતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી બટુકભાઇ શાહ, દિલુભા જાડેજા, અશ્વિનભાઈ શાહ, મહેન્દ્રભાઇ શાહ અને શિવાંગીબેન મોદી મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા






Latest News