મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો


SHARE









મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનેલી યુવતીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા હાલમાં તાલુકા પોલીસે અપહરણના બનાવની નોંધ કરીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે મેહુલ ઉર્ફે મેરૂ ગોરધનભાઈ જોગડીયા જાતે કોળી રહે.રાજપર તા.જી.મોરબી નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ ઉપરથી તાલુકા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ મેહુલ કોળી વિરુધ્ધ ગુનો નોંધીને ભોગ બનેલી સગીરા અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.તાલુકા પીઆઈ વી.એલ.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે રહેતા બીપીનભાઈ ઘનશ્યામભાઈ રામાવત નામના ૪૦ વર્ષીય યુવાનને ઘુંટુ ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નવઘણ અમરશીભાઈ લાકડીયા જાતે સલાટ (૨૦) અને લક્ષ્મણ અમરશીભાઈ સલાટ (૨૧) નામના બે ભાઈઓને મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.તેઓને તેમના કુટુંબી નાથાભાઈ અને લાલાભાઇ દ્વારા ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. બનાવ અંગે નોંધ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News