મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો


SHARE







મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ : ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનેલી યુવતીના પિતા દ્વારા ફરિયાદ નોંધાવાતા હાલમાં તાલુકા પોલીસે અપહરણના બનાવની નોંધ કરીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે મેહુલ ઉર્ફે મેરૂ ગોરધનભાઈ જોગડીયા જાતે કોળી રહે.રાજપર તા.જી.મોરબી નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતાએ નોંધાવેલ ફરિયાદ ઉપરથી તાલુકા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ) અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ મેહુલ કોળી વિરુધ્ધ ગુનો નોંધીને ભોગ બનેલી સગીરા અને આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.તાલુકા પીઆઈ વી.એલ.પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂંટુ ગામે રહેતા બીપીનભાઈ ઘનશ્યામભાઈ રામાવત નામના ૪૦ વર્ષીય યુવાનને ઘુંટુ ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નવઘણ અમરશીભાઈ લાકડીયા જાતે સલાટ (૨૦) અને લક્ષ્મણ અમરશીભાઈ સલાટ (૨૧) નામના બે ભાઈઓને મારામારીના બનાવમાં ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.તેઓને તેમના કુટુંબી નાથાભાઈ અને લાલાભાઇ દ્વારા ઝઘડો કરીને માર મારવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે. બનાવ અંગે નોંધ થતાં હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News