વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

૩૮ કરોડની સિંચાઇ કેનાલ યોજનામાં માળીયા(મી) તાલુકાનાં કેટલા ગામનો પ્રશ્ન ઉકેલાશે ?: મંત્રીને અણીદાર સવાલ


SHARE

















૩૮ કરોડની સિંચાઇ કેનાલ યોજનામાં માળીયા(મી) તાલુકાનાં કેટલા ગામનો પ્રશ્ન ઉકેલાશે ?: મંત્રીને અણીદાર સવાલ

થોડા દિવસો પહેલા સીએમની હાજરીમાં વવાણિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં માળિયા વિસ્તારમાં ૩૮ કરોડની સિંચાઈની કેનાલ માટે બજેટમાં જોગવાઈ કરી છે તેવી જાહેરાત કરવામાં આવી હતી જોકે, આ કેનાલનો લાભ કેટલા ગામોને અને કેટલી જમીનને મળશે તેની કોઈ માહિતી હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને મંત્રીને પત્ર લખીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ બજેટમાં કરવામાં આવેલ જોગવાઈની માહિતી માંગી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને લેખિતમાં રજૂઆત કરીને ગત ૧૭/૫ ના રોજ વવાણિયા ખાતે સીએમની હાજરીમાં જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં જાહેરાત કરવામાં આવેલ છે કે, સરકારે બજેટમાં માળિયા(મી.) તાલુકામાં કેનાલ દ્વારા પાણી આપવા માટે ૩૮ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં  આવેલ છે. જેથી કરીને આ ૩૮ કરોડના કામથી કયા વિસ્તારમાં તેમજ કયા-કયા ગામોને કેનાલોનો લાભ મળશે તેની વિગતો બજેટમાં કરેલ જોગવાઈઓના પ્રૂફ સાથે માંગવામાં આવેલ છે

વધુમાં તેને જણાવ્યુ છે કે, ૧૫૦૦ હેકટર જમીનને કેનાલથી સિંચાઈની સુવિધા આપવામાં આવશે અને આ કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. જો કે આ વિસ્તારના ખેડૂતોની માંગણી બાવન ગામોને કેનાલ દ્વારા પાણી આપવામાં આવે તેવી હતી. જેના અંતર્ગત પચાસ હજાર હેક્ટર જમીનને તે સુવિધાનો લાભ પ્રાપ્ત થવાનો હતો. તેની સામે ફક્ત ૧૫૦૦ હેકટર માટે જ સુવિધા અને તે પણ પાંચ વર્ષમાં આપવામાં આવશે તેવું કહેવામા આવ્યું છે તો બાકીના ૪૮૫૦૦ હેક્ટર જમીન માટે શું ? અને ક્યારે તેઓને ન્યાય મળશે તેવો સવાલ કરેલ છે નર્મદા યોજનામાં પહેલા સમાવેશ કરવા આવેલ જમીન માંહેથી લાખ હેક્ટર જમીન અનકમાન્ડ થયેલ છે. તેની સામે કચ્છ તેમજ સાબરકાંઠા અને બનાસકાઠાના  ખેડૂતો તેમજ આગેવાનોનો આ વધારાનું પાણી તેઓને મળે તે માટે કાર્યરત છે. ત્યારે આ મુદ્દે મંત્રી કેમ નિષ્ક્રિય છે ? શું આ વિસ્તારના ખેડૂતો માટે પાણી લાવવામાં મંત્રીને રસ નથી ? તેવો પણ સવાલ કરેલ છે




Latest News