મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વોંકળા ઉપર થતાં દબાણ સામે અધિકારી-પદાધિકારીના આંખ આડા કાન કેમ ?


SHARE









મોરબીમાં વોંકળા ઉપર થતાં દબાણ સામે અધિકારી-પદાધિકારીના આંખ આડા કાન કેમ ?

મોરબીમાં ચોમાસામા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે જે ખુલ્લા વોંકળા મૂકવામાં આવેલ છે તેમાંથી મોટાભાગના વોંકળા ઉપર તો દબાણ થઈ ગયું છે અને જે ખુલ્લા છે તેના ઉપર પણ હાલમાં દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને રવાપર રોડ ઉપર ઓમ શોપિંગ સેન્ટર પાસે વોંકળા ઉપર નવું શોપિંગ બનાવવા માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે અને નાલુ બુરી દેવામાં આવ્યું છે તેમજ મચ્છુ નદીમાં આડેધડ બાંધકામ વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે જેની સામે અધિકારી અને પદાધિકારીએ આંખ આડા કાન કરી રહ્યા છે જેથી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયાજીજ્ઞેશભાઇ પંડયાજગદીશભાઇ જી. બાંભણીયા અને મુસાભાઇ બ્લોચએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોરબીના રવાપર રોડ ઉપર કાનભાઈ દાબેલી વાળા વાળા સોપીંગની આગળના ભાગમાં નાલા ઉપર શોપિંગ સેન્ટર બનાવવા માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે અને નાલુ બુરી દેવામાં આવ્યું છે તો પણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? આ બાંધકામ માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે ? શું ચીફ ઓફીસરને આ બંધકામનો ખ્યાલ નથી આવા અનેક સવાલો કરવામાં આવેલ છે અને આવી જ રીતે મોરબીમાં યેનકેન પ્રકારે અનેક જગ્યાએ દબાણો કરી નાખવામાં આવેલ છે તો પણ ચીફ ઓફીસર અને પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ કેમ મૌન છે તે પણ તપાસનો વિષય છે

ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતને ધ્યાને લઈને તેનો કોઇ નિકાલ નહીં કરવામાં આવે તો આંખ આડા કાન કરનારા તંત્ર વાહકોને જગાડવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને વધુમાં તેઓએ કહ્યું છે કે, મોરબીની મચ્છુ નદીમાં મકાનનો કાટમાળ રાત્રીના સમયે ટ્રેકટરો અને ખટારા દ્વારા ઠલવવામાં આવે છે આવું હિન કૃત્ય લીલાપર રોડ ઉપર નાલા પાસે પણ કરવામાં આવે છે અને ત્યાં બાંધકામ કરીને ગેરકાયદે કબ્જો જમાવી લીધો છે શું તેની પણ પાલીકાના ચીફ ઓફીસર કે પ્રમુખને ખબર નથી તેવો પણ સવાલ કરેલ  છે અત્રે ઉલેખનીય છે કે, એક તરફ ભારતના વડાપ્રધાન એમ કહે છે કે, પાણીનો સંગ્રહ કરો અને બીજી બાજુથી આવારતત્વો મોરબીમાં નદી અને નાળા બુરીને તેના ઉપર ગેરકાયદે બાંધકામ કરવા લાગ્યા છે ત્યારે અહીના અધિકારીઓએ દબાણ કરનારા સામે દબાઈ જશે કે પછી વડાપ્રધાને કરેલ વાતને મોરબીમાં સાર્થક કરવા માટે કામ કરશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News