હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં ગેરકાયદે બાંધકામનો રાફળો: અધિકારી મૌન રહેતા હાઇકોર્ટમાં જવાની ઉચ્ચારી ચિમકી 


SHARE











હળવદમાં ગેરકાયદે બાંધકામનો રાફળો: અધિકારી મૌન રહેતા હાઇકોર્ટમાં જવાની ઉચ્ચારી ચિમકી 

હળવદમાં વર્ષોથી ગેરકાયદે નવા કોમ્પલેક્ષશોપિંગસેન્ટરો સહિત બિલ્ડિંગના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે અને બાંધકામ વિભાગના નિયમોનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે તો પણ જવાબદાર અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં હળવદના મેઈન રોડ પર આવેલ ઢવાણીયા દાદાના મદીર પાસે આવેલ કોમ્પલેક્ષના કોઈ રેકોર્ડ પાલીકા પાસે નથી  પણ તેમ છતા પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કેમ કરવામાં આવેલ નથી તે સૌથી મોટો સવાલ છે 

હળવદના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ પરમાર દ્વારા ૩૦/૧૨/૨૦૨૧ નાં રોજ હળવદ નગરપાલિકામા આરટીઆઈ કરવામાં આવી હતી જેના સ્થાનિક અધિકારી પાસેથી કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને પ્રાદેશિક કચેરી વર્ગ-૧ રાજકોટમાં પ્રથમ અપીલ દાખલ કરી હતી અને અરજદાર અને ચીફ ઓફિસરને સુનાવણી માટે તા૧૫/૩/૨૦૨૨ના રોજ રુબરુ બોલાવ્યા હતા અને ૧૫ દિવસમાં માહિતી આપવા હુકમ કર્યો હતો જે  હુકમ અન્વયે પાલીકાએ જવાબ આપતા તા૧૩/૪/૨૦૨૨ ના પત્રથી અરજદારને કહ્યું હતું કે, આવું કોમ્પલેક્ષ અમારા રેકોર્ડમાં નથી આથી અરજદારે ૨૦/૪/૨૦૨૨ નાં રોજ કલેક્ટરમામલતદાર,જિલ્લા સેવા સદનરાજકોટ પાદેશીક કમીશ્નરને હળવદ પાલીકા તમામ જગ્યાએ અરજી કરીને ગેરકાયદે બાંધકામ હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને દબાણ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરી હતી પરંતુ અફસોસ કે આજ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી હવે આ મુદે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી અરજદારે ઉચ્ચારી છે 






Latest News