મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી સરકારે ૮ વર્ષ પૂર્ણ થતાં મોરબી જીલ્લામાં સેવા અને સુશાસનની કરાશે ઉજવણી: દુર્લભજીભાઈ દેથરિયા


SHARE













વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી સરકારે ૮ વર્ષ પૂર્ણ થતાં મોરબી જીલ્લામાં સેવા અને સુશાસનની કરાશે ઉજવણી: દુર્લભજીભાઈ દેથરિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારે ૮ વર્ષ પૂર્ણ કરતા સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત મોરબી જીલ્લામાં આગામી ૧૦ દિવસ સુધી વિવિધ કાર્યકમ યોજીને તેની ઉજવણી કરવામાં આવશે તેની મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ભારતમાં તેમજ મોરબી જીલ્લામાં છેલ્લા ૮ વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં જિલ્લા ભાજપ અને તેના વિવિધ મોરચા દ્વારા ૫ જુનથી ૧૫ જૂન સુધી ૮ વર્ષ વડાપ્રધાનના સુશાસન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવા જઇ રહ્યાં છે. જેની માહિતી આપવા માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ નિકુંજભાઈ કોટક દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યુ હતું કે, ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રઢ નિર્ધાર અને પ્રમાણિક પ્રયાસોના પરિણામે આજે ગ્રામીણ, શહેરી, મહિલાઓ, વંચિતો, ખેડૂતો, યુવાનો અને સમાજના દરેક વર્ગના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. અને નિર્ણાયક સરકારના કારણે "આત્મ નિર્ભર ભારત" સમગ્ર વિશ્વમાં એક આગવા અને અસરકારક બળ તરીકે ઉભરી રહ્યું છે. છેલ્લા આઠ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની દ્રઢ સંકલ્પ શક્તિ અને લોકોનો તેમના પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને સ્નેહના પરિણામે જ "આત્મનિર્ભર ભારત", "વોકલ ફોર લોકલ", "સ્વચ્છ ભારત અભિયાન", "હર-ઘર શૌચાલય" અને "ફિટ ઇન્ડિયા" જેવા અભિયાન જન આંદોલન બની ચૂક્યા છે.

મોરબી જીલ્લામાં પ્રદેશ ભાજપાની યોજના મુજબ ૭૫ કલાક દરેક કાર્યકર્તા સંપર્ક અંતર્ગત તા. ૫ થી ૧૫ જૂન દરમ્યાન જિલ્લામાં જુદાજુદા કાર્યક્રમ યોજાશે જેમાં ૫ જૂનના રોજ પર્યાવરણ દિન, ૬ જૂનના રોજ મહિલા મોરચા દ્વારા પ્રત્યેક સ્વ સહાય જૂથ અને મહિલાઓનો સંપર્ક, ૭ જૂનના રોજ અનું. જાતિ મોરચા દ્વારા યુવાઓની મીટીંગ, ૮ જૂનના રોજ અનુ. જન જાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક ખાટલા બેઠકો, ૯ જૂનના રોજ ઓબીસી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક અને ખાટલા બેઠક, ૧૦ જૂનના રોજ ભાજપાના વિવિધ સેલ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન, કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો અને ઉદ્યોગકારો સાથે બેઠકો, ૧૧ જૂનના રોજ ગરીબોનો સંપર્ક, ૧૨ જૂનના રોજ લાભાર્થી અને નવા મતદારોનો સંપર્ક, ૧૩ જૂનના રોજ ભાજપા ડોકટર સેલ દ્વારા કુપોષિત બાળકોનું હેલ્થ ચેકઅપ, ૧૪ જૂનના રોજ યુવા મોરચા દ્વારા બાઇક રેલી અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રભાત ફેરી અને ૧૫ જૂનના રોજ બાકી રહેતા સામેલન પૂરા કરવામાં આવશે તેવું આ કાર્યક્રમના ઇન્ચાર્જ નિકુંજભાઈ કોટકે જણાવ્યુ છે






Latest News