મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના પાનેલીથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનને તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હોવાથી તેને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વરથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવતા રાણા ભુવાની મેલડી માતાજીના મંદિર પાસે રાહુલ પ્રવીણભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૧૮) નામના યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના પિતા પ્રવિણભાઈ નાગજીભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયા આ બનાવની તપસ કરી રહયા છે અને તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનને ગઈકાલે તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તે સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને માતાજીના મંદિર પાસે ઝાડ સાથે પ્લાસ્ટીકની નળી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News