મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના પાનેલીથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનને તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હોવાથી તેને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વરથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવતા રાણા ભુવાની મેલડી માતાજીના મંદિર પાસે રાહુલ પ્રવીણભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૧૮) નામના યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના પિતા પ્રવિણભાઈ નાગજીભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયા આ બનાવની તપસ કરી રહયા છે અને તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનને ગઈકાલે તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તે સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને માતાજીના મંદિર પાસે ઝાડ સાથે પ્લાસ્ટીકની નળી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News