મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું
SHARE









મોરબીના પાનેલી ગામે માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને જીવન ટૂંકાવ્યું
મોરબી તાલુકાના પાનેલીથી રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનને તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હોવાથી તેને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વરથી પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવતા રાણા ભુવાની મેલડી માતાજીના મંદિર પાસે રાહુલ પ્રવીણભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૧૮) નામના યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના પિતા પ્રવિણભાઈ નાગજીભાઈ ચારોલીયા જાતે દેવીપુજક (ઉંમર ૪૦)એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ. ઝાપડીયા આ બનાવની તપસ કરી રહયા છે અને તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાનને ગઈકાલે તેના માતા-પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતા તે સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને માતાજીના મંદિર પાસે ઝાડ સાથે પ્લાસ્ટીકની નળી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
