મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં લેબર કવાર્ટરની સીડી ઉપર ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનામાં લેબર કવાર્ટરની સીડી ઉપર ચક્કર આવતા પડી ગયેલા યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાના લેબર કવાર્ટરની સીડી ચડતા સમયે ચક્કર આવવાથી નીચે પડી ગયેલા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ પશ્ચિમ બંગાળનાં રહેવાશી અને હાલમાં મોરબી જિલ્લામાં ગામની સીમમાં લખધીરપુર રોડ ઉપર આવેલ ડોનાટો સિરમિકમાં મજૂરી કામ કરતા અને ત્યાં લેબર કવાર્ટરની અંદર રહેતા સનાતનભાઈ મોહનભાઈ માહાલી જાતે આદિવાસી (ઉંમર ૪૦) પોતાના દીકરા અનિલને તાવ આવતો હોય તેની દવા લઈને ગઈકાલે બપોરના સમયે પોતાના લેબર કવાર્ટર તરફ જઈ રહ્યા હતા અને ત્યારે લેબર કવાર્ટરની સીડી ચડતા સમયે સીડી ઉપર ચક્કર આવવાના કારણે તે પડી ગયા હતા અને નીચે પડ્યા હતા માટે તેને માથાના ભાગે પાછળ ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન સનાતનભાઈનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મૃતક યુવાનના પત્ની સુનિયાબેન સનાતનભાઈ માહાલી જાતે આદિવાસી (ઉંમર ૩૬)એ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News