મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી


SHARE











મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લાનું પરિણામ આ વર્ષે ૮૯.૨૦ આવ્યું છે જો કે જીલ્લાના ૫૩૭૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી એ-વન ગ્રેડમાં ૪૮ વિદ્યાર્થીઓ આવ્યા છે

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૮૯.૨૦ આવ્યું છે અને આ વર્ષે ૫૩૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા જેમાંથી ૪૯૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે અને તે પૈકીના માત્ર ૪૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે જો કે, એ-ટુ ગ્રેડમાં ૫૫૨, બી-વન ગ્રેડમાં ૧૧૪૫, બી-ટુ ગ્રેડમાં ૧૪૩૦, સી-વનમાં ૧૧૮૦ એન સી-ટુમાં ૪૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે






Latest News