મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી


SHARE











મોરબી જીલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૯.૨૦ ટકા: એ-વન ગ્રેડમાં માત્ર ૪૮ વિદ્યાર્થી

આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લાનું પરિણામ આ વર્ષે ૮૯.૨૦ આવ્યું છે જો કે જીલ્લાના ૫૩૭૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી એ-વન ગ્રેડમાં ૪૮ વિદ્યાર્થીઓ આવ્યા છે

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું પરિણામ ૮૯.૨૦ આવ્યું છે અને આ વર્ષે ૫૩૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા જેમાંથી ૪૯૧૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે અને તે પૈકીના માત્ર ૪૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે જો કે, એ-ટુ ગ્રેડમાં ૫૫૨, બી-વન ગ્રેડમાં ૧૧૪૫, બી-ટુ ગ્રેડમાં ૧૪૩૦, સી-વનમાં ૧૧૮૦ એન સી-ટુમાં ૪૧૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે






Latest News