મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત


SHARE

















મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત

મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે

મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે અગામી તા.૧૨-૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરેલ છે અને સમસ્ત બ્રહ્મસમાજના દિકરા અને દિકરીઓ સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિતમાં જોડાઇ શકશે તેના માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતના હોદેદારો દ્વારા તમામ તકેદારી રાખવામા આવી હતી અને મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિત યોજાશે જેમાં બે દીકરીઓના લગ્ન કરવવામાં આવશે અને ૨૨ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવશે ત્યારે ધાર્મિક વિધિ શાસ્ત્રી વિમલભાઈ જોશી, શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા અને શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મા સમાજની વિવિધ પાંખના હોદેદારો સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે તેવું સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા અને મધુસુદનભાઇ ઠાકરે જણાવ્યુ છે




Latest News