માળીયા (મી)માં પ્રાથમિક સુવિધાની મામલતદારે ખાતરી આપતા આંદોલન સમેટાયું
મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત
SHARE









મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા યોજાશે સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત
મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે
મોરબીનાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે અગામી તા.૧૨-૬-૨૦૨૨ ને રવિવારના રોજ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરેલ છે અને સમસ્ત બ્રહ્મસમાજના દિકરા અને દિકરીઓ સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિતમાં જોડાઇ શકશે તેના માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતના હોદેદારો દ્વારા તમામ તકેદારી રાખવામા આવી હતી અને મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિત યોજાશે જેમાં બે દીકરીઓના લગ્ન કરવવામાં આવશે અને ૨૨ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવશે ત્યારે ધાર્મિક વિધિ શાસ્ત્રી વિમલભાઈ જોશી, શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા અને શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મા સમાજની વિવિધ પાંખના હોદેદારો સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે તેવું સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા અને મધુસુદનભાઇ ઠાકરે જણાવ્યુ છે
