ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પ્રાથમિક સુવિધાની મામલતદારે ખાતરી આપતા આંદોલન સમેટાયું


SHARE













માળીયા (મી)માં પ્રાથમિક સુવિધાની મામલતદારે ખાતરી આપતા આંદોલન સમેટાયું

મોરબી જિલ્લો આમ તો સમૃદ્ધ જિલ્લો ગણવામાં આવે છે જો કે, આ જીલ્લામાં આવતા માળીયા મિયાણા તાલુકામાં આજની તારીખે પણ લોકોને સારી પ્રાથમિક સુવિધો મળી રહી નથી જેથી કરીને લોકોને સારી સુવિધા મળે તે માટે માળીયા મિયાણા તાલુકાને વિકસિત બનાવવા સામાજિક કાર્યકરે આંદોલન શરૂ કર્યું હતું અને મામલતદારે પ્રાથમિક સુવિધાની ખાતરી આપતા હાલમાં આંદોલન સમેટાયું  છે

છેલ્લા આઠ દિવસથી મિયાણા તાલુકામાં લોકોને સારી પ્રાથમિક સુવિધો મળી રહે તે માટે સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈએ આંદોલન શરૂ કરેલ હતું અને તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો તે પહેલા માળીયામાં બસ સ્ટેન્ડ હતું જો કે, ત્યારે પડી ગયા પછી તેને બનાવવામાં આવ્યું જ નથી અને આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી કચેરી, પશુ દવાખાનું, મામલતદાર કચેરીનું નવ નિર્માણ, વાંઢ વિસ્તારમાં વીજ કનેક્શનો આપવા, માળીયાની સરકારી હોસ્પિટલમાં અધિક્ષક સહિતની ખાલી જગ્યા ભરવા, હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર જર્જરિત હાલતમાં હોય રીનોવેશન કરવા, માળિયામાં ફરીથી એસએસસી બોર્ડનું પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે, માળીયામાં સ્ટેટ હાઇવેને જોડતા માર્ગો બિસ્માર, તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ખરાબ માર્ગોની હાલત સુધારવા સહિતના મુદાઓને ધ્યાને લઈને લોકોને સારી પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉકેખનીય છે કે, અગાઉ સ્થાનિક અધિકારીથી લઈને ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરેલ હતી પરંતુ કોઈ કામ કરવામાં આવ્યું નથી જેથી આંદોલન કરવામાં આવ્યું હતું અને બુધવારે માળીયા અડધો દિવસ બંધ રાખવામા આવેલ હતું તેમજ લોકો આંદોલનમાં જોડાયા હતા જેથી મામલતદારે ઉપવાસી છાવણીએ આવીને પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી અને સામાજિક કાર્યકર ઝુલ્ફીકારભાઈના પારણા કરાવ્યા હતા અને આંદોલન સમેટાયું હતું






Latest News