મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત સંપન્ન


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમુહ લગ્નોત્સવ-યજ્ઞોપવિત સંપન્ન

છેલ્લા ૩૮ વર્ષથી મોરબીમાં શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરેલ હતું અને સમસ્ત બ્રહ્મસમાજના દિકરા અને દિકરીઓ સમુહ લગ્નોત્સવ તથા સમુહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો હતો તેના માટે સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતના હોદેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળા ખાતે સમુહ લગ્નોત્સવ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે દીકરીઓના લગ્ન અને ૨૨ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી ત્યારે ધાર્મિક વિધિ શાસ્ત્રી વિમલભાઈ જોશી, શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા અને શાસ્ત્રી આશિષભાઈ મહેતા દ્વારા કરાવવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મા સમાજની વિવિધ પાંખના હોદેદારો સહિતના આગેવાનો તરફથી પણ સહકાર મળ્યો હતો તેવું સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા અને મધુસુદનભાઇ ઠાકરે જણાવ્યુ છે






Latest News