મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સતવારા સમાજના યુવાનો


SHARE











મોરબીમાં વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા સતવારા સમાજના યુવાનો

મોરબીના માધાપર અને માધાપર વાડી વિસ્તારના સતવારા સમાજની આસ્થાનું પ્રતીક એવા રામજી મંદિરે ભીમ અગિયારસથી ભીમ અગિયારસ સુધીમાં વર્ષ દરમિયાન વાડી વિસ્તારમાં વસવાટ કરતા સતવારા સમાજના જેટલા પણ દીકરાઓના લગ્ન થયા હોય તે તમામ વરરાજાઓ વર્ષો જૂની પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના દિવસે સામૂહિક દર્શન કરવા માટે રામજી મંદિરે આવ્યા હતા અને ભગવાનના દર્શન કરીને પોતાના સુખી દાંપત્યજીવનની કામના કરી હતી આ તકે રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી દરેક વરરાજાઓના દાંપત્ય જીવનમાં સદાય એકબીજા પ્રત્યે પ્યાર અને વિશ્વાસની ધારા કાયમ વહેતી રહે અને તમામનું દાંપત્ય જીવન ખુશીઓથી મહેકતું રહે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી અને ત્યારે ટ્રસ્ટ વતી ધર્મેન્દ્રભાઈ કંઝારીય, શાંતિલાલભાઈ સોનગ્રા અને મોહનભાઇ પરમાર દ્વારા તમામને શુભકામના પાઠવવામાં આવી હતી






Latest News