મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વીજ ગ્રાહકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાની માંગ


SHARE











મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વીજ ગ્રાહકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાની માંગ

ગુજરાતમાં પ્રજાને સસ્તા દરે વીજળી મળે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને ખાનગી કંપનીઓના પાપે ગુજરાતમાં લોકોને મોંઘી વીજળી મળી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે

હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે, ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું છે અને તેના પાપે આજે લોકોને વીજળી મોંઘી મળી રહી છે પ્રથમ તો, ખાનગી પાવર પ્લાન્ટ સાથે ૨૦૦૭ માં ૨૫ વર્ષ સુઘી વીજળી ખરીદવાના જે ફીક્સ ભાવો નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યા છે

વધુમાં જણાવ્યું હતું કે, એપ્રિલ ૨૦૨૧ માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ ૧.૮૦ હતો જે આજની તારીખે એપ્રિલ ૨૦૨૨ માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ ૨.૩૦ રૂપિયા થયો છે આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે બીજું, ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બઝારમાંથી ખુબ ઊંચા ભાવે વીજળી ખરીદવી પડે છે. સરકારે ખુલ્લા બજારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.

આમ આદમી પાર્ટીની હાલ દિલ્હી અને પંજાબ, એમ બે રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને ૨૦૦ અને ૩૦૦ યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે. ત્યારે આમ આદમી પાર્ટી-ગુજરાત, નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અંતમાં રાજ્યના મુખ્યમંત્રી પાસે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના નાગરિકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News