મોરબીમાં લાયન મેમ્બર સ્વ. ધવલભાઈ રાંકજાની દ્વિતીય પુણ્યતિથી અનેકવિધ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ
મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત
SHARE









મોરબી એબીવીપી દ્વારા જિલ્લાની શાળાઓમાં ચેકિંગ કરવા કરાઇ રજૂઆત
મોરબી એબીવીપી દ્વારા માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના વિરૂદ્ધ તેમજ વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા આગમચેતી પગલા લેવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, શુક્રવારે માળિયા તાલુકાની કન્યા શાળામાં વર્ષો જુનો ભોય ટાંકાની છતનો ભાગ તુટી પડતા શાળાની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકામા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકાને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે અને કદાચ આ વિદ્યાર્થીઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ? તેવો સવાલ એબીવીપી મોરબી દ્વારા ઉઠાવીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગીમા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો હોય તો તેને તાત્કાલિક દુર કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે તેવું વિશ્વરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે
