સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા મર્ગદર્શિકા બહાર પડાઇ


SHARE

















મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા મર્ગદર્શિકા બહાર પડાઇ

હાલમાં વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુના બનાવ બનવા પામેલ છે  તો આ અંગે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ લેવા જરૂરી છે. આથી જાહેર જનતાએ આકાશીય વિજળીથી બચવા માટે  હાલની ઋતુમાં લોકોને જાગૃતિના પગલાં લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા રાહત નિયામકશ્રી, મહેસૂલ વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે મુજબની મર્ગદર્શિકાનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

આકાશીય વીજળી સમયે જ્યારે તમે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દુર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઇપણ ચીજવસ્તુથી દુર રહેવું., ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દુર રહેવું, આકાશીય વીજળી સમયે જો આપણે ઘરની બહાર હોવ ત્યારે આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું, ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી જરૂર પડે મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવો, મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહો, મજબૂત છતવાળા વાહનમાં રહો, પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દુર રહો,  પાણીમાં હોવ તો બહાર આવી જાવ. મોરબી જિલ્લાવહીવટી તંત્ર દ્વારા આ મુજબની સાવધાની રાખવાની વિગતો જનતાને જણાવવામાં આવી છે તથા તેનું પાલન કરી સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.




Latest News