મોરબીમાં કાલે કલાકાર સ્વ. રમેશ મેહતાને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીમાં કાલે કલાકાર સ્વ. રમેશ મેહતાને શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાશે
મોરબીમાં એમ.બી.એસ. ડિજિટલ અને દ્વારકેશ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય સમ્રાટ સ્વ. રમેશ મહેતાના સ્વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં સૌ પ્રથમ વખત તેઓને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે તા ૨૨ ને બુધવારે મોરબીમાં આ વિશેષ કાર્યક્રમ યોજાવાનો છે
ગુજરાતી ફિલ્મના કલાકાર સ્વ. રમેશ મહેતાના સ્વર્ગવાસને ૧૦ વર્ષ પૂર્ણ થતાં શ્રદ્ધાંજલિ અને તેની સાથોસાથ એવોર્ડ ફંકશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૨૨ ને બુધવારના રોજ સાંજે ૫ થી ૯ કલાકે સુધી આ કાર્યક્રમ રાખવામા આવેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનિયર રમેશ મહેતા(મયુરબાપા) મો.૯૭૨૬૬ ૧૨૮૫૪, સરવૈયા સિદ્ધરાજસિંહ મો.૯૭૩૭૯ ૩૯૬૯૭, ભાવિન વાઢેર અને કલ્પેશ પંડ્યા જહેમત ઉઠાવી રહી છે અત્રે ઉલેખનીય છે કે, લોકોને પેટ પકડીને હસાવતા જુનિયર રમેશ મહેતા(મયુરબાપા)ની છેલ્લા આઠ વર્ષથી કિડની ફેઇલ છે અને તેની સારવાર ચાલુ છે તો પણ પોતાના દર્દને ભૂલીને તેઓ કલા ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેની સાથોસાથ ગુજરાતી ફિલ્મના કલાકાર સ્વ. રમેશ મહેતાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે