ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા પાસે કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો


SHARE













વાંકાનેરના વઘાસિયા પાસે કારખાનામાં યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો

વાંકાનેર નજીક આવેલ વઘાસીયા જી.આઈ.ડી.સી પાસે કારખાનામાં પાણીની ટાંકી પાસે યુવાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા મુકેશભાઇ આડેસરાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી કે તેઓની માલિકીનું વઘાસીયા જીઆઇડીસીમાં એકયુટોપ સીરામીક નામનું કારખાનું આવેલ છે તેની પાણીની ટાંકી પાસે સૌરભભાઈ રેવતીપ્રસાદ ચૌધરી (ઉંમર ૨૨) રહે. હાલ એકયુટોપ સીરામીક કારખાનાવાળાએ પાણીની ટાંકી પાસે ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ ખાતે ખસેડવામાં આવેલ હતો અને આપઘાતના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ ભક્તિનગરમાં રહેતા વિનોદભાઈ મુકેશભાઈ પરમાર (૧૮) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને આ યુવાનને સારવાર માટે મોરબીના સવસાર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જાંબુડીયા ગામ પાસેથી પગપાળા પસાર થઈ રહેલા કુણાલભાઈ મંગળભાઈ કુમાર (ઉંમર ૩૩) નામના યુવાનને અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લીધા હતા જેથી તેને ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News