મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

માળીયા (મિ) ના ખીરઈ ગામે જુગાર રમતા સાત ઝડપાયા


SHARE









માળીયા (મિ) ના ખીરઈ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

માળીયા મિયાણા તાલુકાના ખીરઈ ગામે તળાવની પાળ પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોડ ઉપર જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૨૦૫૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર માળીયા તાલુકાના ખીરઈ ગામે તળાવની પાળ પાસે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર અકબરભાઇ હબીબભાઇ સામતાણી જાતે મીયાણા (૩૪), નરેન્દ્રભાઇ અમ્રુતલાલ પાટડીયા જાતે સોની (૫૦), રમજાનભાઇ રહેમાનભાઇ સામતાણી જાતે મીયાણા (૩૫), રશીકભાઇ શીવજીભાઇ તન્ના જાતે લુવાણા (૫૦), કૌશીકભાઇ ચદુભાઇ સોલંકી જાતે વઢાણા (૨૮), આનદભાઇ કલ્પેશભાઇ ભટ્ટ જાતે બ્રામણ (૨૬) અને કાળુભાઇ ગંગારામભાઇ મોરતરીયા જાતે ઠાકોર (૫૪) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨૦૫૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ શ્યામપાર્ક વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ શિવલાલ ભાટિયા નામનો ૩૨ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મોરબીના લાતીપ્લોટ શેરી નંબર ૫ માં સાંજે છએક વાગ્યાના અરસામાં ઇકો કાર સાથે બાઈક અથડાતાં ઇજાઓ થતાં તેને સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના રહેવાસી કરસનભાઈ માવજીભાઈ દેલવાડીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ દુદાપુર અને ધાંગધ્રા વચ્ચેથી જતા હતા ત્યાં પેટ્રોલ પંપ નજીક તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેઓને અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News