મોરબીમાં પત્ની-પુત્ર અને સસરાએ યુવાનને લમધાર્યો : પત્નીના નામના મકાનના દસ્તાવેજ કરતાં ચેતજો
મોરબી : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા બેઠક અનામતને હટાવવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા માંગ
SHARE









મોરબી : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા બેઠક અનામતને હટાવવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા માંગ
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા બેઠક અનામતને હટાવવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા માટે ટંકારા મામલતદારને જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર, ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા, પ્રદેશના આગેવાન કે.ડી.બાવરવા, પ્રદેશ ઓબીસીના આગેવાન ડો.લખમણભાઇ કંઝારિયા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ જારીયા, મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસીના મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, ઉપ્રમુખ દલસુખભાઈ નથુભાઈ આહીર, આશિષભાઈ ગજિયા, રામભા ગઢવી, રમેશભાઈ ગેડિયા તેમજ ટંકારાના ઓબીસીના આગેવાનોએ ટંકારા મામલતદારને આવેદનપત્ર આપીને સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય સરકારે લીધો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
