મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ


SHARE







મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬માટેની પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે .આ પરીક્ષા ધોરણ -પના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે .આ પરીક્ષા ઉતીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ,પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ઘુંટુ ગામની શ્રી નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી ગઢીયા દિપ અશોકભાઈ પાસ થયેલ છે અને જવાહર નવોદયની અતિ કઠિન મનાતી  પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા,ઘુંટુ ગામ અને શ્રી નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવેલ છે

માળીયા તાલુકાનાં વર્ષામેડી ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએ જવાહર નવોદયમાં પ્રવેશની પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી મિયાત્રા ધર્માંયું પરેશભાઈ પાસ થયો છે. જેથી શાળાના આચાર્ય સોલંકી વિનુભાઈ તેમજ સ્ટાફ દ્વારા મિયાત્રા ધર્માંયુંને અભિનંદન પાઠવવામાં આવેલ છે આવી જ રીતે માળીયાના નાનાદહીંસરા ગામની નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાડજા વિશ્વા જીગ્નેશભાઈએ પણ પરીક્ષા આપી હતી અને તે આ પરીક્ષામાં પાસ થયેલ છે. જેથી નાનાદહીંસરા ગામ અને શાળાનું ગૌરવ વધારનારી દીકરી ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે 






Latest News