મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ


SHARE













મોરબીનો ગઢીયા દિપ-માળીયાના મિયાત્રા ધર્માંયું અને ભાડજા વિશ્વા જવાહર નવોદયની પરીક્ષામાં પાસ

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ -૬માટેની પ્રવેશ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે .આ પરીક્ષા ધોરણ -પના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે .આ પરીક્ષા ઉતીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ,પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં ઘુંટુ ગામની શ્રી નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી ગઢીયા દિપ અશોકભાઈ પાસ થયેલ છે અને જવાહર નવોદયની અતિ કઠિન મનાતી  પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા,ઘુંટુ ગામ અને શ્રી નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવેલ છે

માળીયા તાલુકાનાં વર્ષામેડી ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાનો વિદ્યાર્થીએ જવાહર નવોદયમાં પ્રવેશની પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં વર્ષામેડી ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી મિયાત્રા ધર્માંયું પરેશભાઈ પાસ થયો છે. જેથી શાળાના આચાર્ય સોલંકી વિનુભાઈ તેમજ સ્ટાફ દ્વારા મિયાત્રા ધર્માંયુંને અભિનંદન પાઠવવામાં આવેલ છે આવી જ રીતે માળીયાના નાનાદહીંસરા ગામની નવજીવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાડજા વિશ્વા જીગ્નેશભાઈએ પણ પરીક્ષા આપી હતી અને તે આ પરીક્ષામાં પાસ થયેલ છે. જેથી નાનાદહીંસરા ગામ અને શાળાનું ગૌરવ વધારનારી દીકરી ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે 






Latest News