માળીયા (મી) ખાતે વિકાસયાત્રા પ્રદર્શન સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપાયો
વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?
SHARE
વાંકાનેરનો વિકાસ માત્ર કાગળ ઉપર !: શહેરમાં કેટલાયના ખાડા બુરાઈ ગયા પણ શહેરના ખાડા યથાવત ?
વાંકાનેર પાલિકાના વિસ્તારમાં વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, વિકાસની વાતો માત્ર વાતો સમાન જ છે એવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમકે વાંકાનેરના જિનપરા મેઇન રોડ ઉપર ઠેરઠેર ખાડા આદિ ગયા છે તો પણ તેને બુરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી અને અધિકારી કે પદાધિકારીઓને જાણે કે આ ખાડ દેખાતા ન અથવા તો તેની સામે આંખ આડ કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રોડ તૂટી ગયા તો પણ કોઈ કોન્ટ્રાકટરની સામે કેમ પગલાં લેવામાં આવેલ નથી તે પણ સૌથી મોટો સવાલ છે અને વાંકાનેરની જનતા હેરાન થાય તેમાં કોને રસ છે તેની જો તપાસ કરવામાં આવે તો કેટલાના ખાડા બુરાઈ ગયા તો પણ વાંકાનેરના ખાડ કેમ બૂરાતા નથી તેની ચોકાવનારી માહિતી સામે આવે તેમ છે