મોરબી જિલ્લામાં બજેટ નામંજૂર થતાં ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન: વહીવટદાર મુકાયા
SHARE
મોરબી જિલ્લામાં બજેટ નામંજૂર થતાં ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન: વહીવટદાર મુકાયા
રાજયના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં આવેલા જુદીજુદી ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં ધરમપુર, હરિપર અને પીપળીયારાજ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને આ ગ્રામ પંચાયટોમાં હાલમાં વહીવટીદાર મૂકી દેવામાં આવેલ છે
સામન્ય રીતે ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી દરેક બોડીમાં માર્ચ માહિનામાં બજેટ મંજૂર કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકાની જુદીજુદી ત્રણ ગ્રામ પંચાયતમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું ન હતું જેથી કરીને હાલમાં રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની ધરમપુર, માળીયા (મી)ની હરિપર, વાંકાનેરની પીપળીયારાજ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને આ પંચાયટુમાં બજેટ નામંજૂર થતા તેની સામે પગલાં લેવામાં આવેલ છે અને આ ત્રણેય ગ્રામ પંચાયતમાં તાત્કાલિક અસરથી વહીવટદાર પણ મૂકી દેવામાં આવેલ છે