માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બજેટ નામંજૂર થતાં ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન: વહીવટદાર મુકાયા


SHARE













મોરબી જિલ્લામાં બજેટ નામંજૂર થતાં ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન: વહીવટદાર મુકાયા

રાજયના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં આવેલા જુદીજુદી ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં ધરમપુર, હરિપર અને પીપળીયારાજ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને આ ગ્રામ પંચાયટોમાં હાલમાં વહીવટીદાર મૂકી દેવામાં આવેલ છે

સામન્ય રીતે ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી દરેક બોડીમાં માર્ચ માહિનામાં બજેટ મંજૂર કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકાની જુદીજુદી ત્રણ ગ્રામ પંચાયતમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું ન હતું જેથી કરીને હાલમાં રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની ધરમપુર, માળીયા (મી)ની હરિપર, વાંકાનેરની પીપળીયારાજ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને આ પંચાયટુમાં બજેટ નામંજૂર થતા તેની સામે પગલાં લેવામાં આવેલ છે અને આ ત્રણેય ગ્રામ પંચાયતમાં તાત્કાલિક અસરથી વહીવટદાર પણ મૂકી દેવામાં આવેલ છે 






Latest News