મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ


SHARE









મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતો યુવાન ગેસનો બાટલો ભરવા માટે નીકળ્યા બાદ ગુમ થઈ ગયો છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્ની દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાતા પોલીસે તેની નોંધ કરીને યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ નજીક આવેલ સ્કોટલેન સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મીનાક્ષીબેન કલ્પેશભાઈ માકડીયા (ઉંમર ૩૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના પતિ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેના પતિ કલ્પેશભાઈ જેન્તીભાઈ માકડીયા (ઉંમર ૩૫) કારખાનેથી તા.૨૦ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો ભરાવવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુમસુધા ફરિયાદ નોંધીને યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુપાર્ક વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પ્રભુભાઈ ઉઘરેજા નામના ૮૬ વર્ષીય વૃદ્ધ પગપાળા ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં શનાળા રોડ ઉપર કોઇ બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર ખાખરડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલ રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી.જે બનાવમાં ઇજાઓ થવાથી અરવિંદભાઈ શાંતિલાલ શાહની (૫૦) રહે.સામાકાંઠે મોરબી-૨, કીડીબેન કાળાભાઈ ઠોરીયા (૬૦) અને સમીબેન પોપટભાઈ ઠોરીયા (૬૦) રહે.બંને માળિયા ફાટક પાસે મોરબી-૨ ને ઇજાઓ થઈ હતી જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News