મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ


SHARE







મોરબીના તળાવીયા સનાળા પાસે કારખાનામાંથી ગેસનો બાટલો ભરાવવા માટે ગયેલ યુવાન ગુમ

મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં રહેતો યુવાન ગેસનો બાટલો ભરવા માટે નીકળ્યા બાદ ગુમ થઈ ગયો છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્ની દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાતા પોલીસે તેની નોંધ કરીને યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના તળાવીયા સનાળા ગામ નજીક આવેલ સ્કોટલેન સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મીનાક્ષીબેન કલ્પેશભાઈ માકડીયા (ઉંમર ૩૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમના પતિ ગુમ થયા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેના પતિ કલ્પેશભાઈ જેન્તીભાઈ માકડીયા (ઉંમર ૩૫) કારખાનેથી તા.૨૦ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો ભરાવવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યા હતા અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ગુમસુધા ફરિયાદ નોંધીને યુવાનને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુપાર્ક વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પ્રભુભાઈ ઉઘરેજા નામના ૮૬ વર્ષીય વૃદ્ધ પગપાળા ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં શનાળા રોડ ઉપર કોઇ બાઈક ચાલકે તેમને હડફેટ લેતા ઇજાઓ થવાથી તેમને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ત્રણને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર ખાખરડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઈડમાં ઉભેલ રીક્ષાને ટ્રક ચાલકે હડફેટે લીધી હતી.જે બનાવમાં ઇજાઓ થવાથી અરવિંદભાઈ શાંતિલાલ શાહની (૫૦) રહે.સામાકાંઠે મોરબી-૨, કીડીબેન કાળાભાઈ ઠોરીયા (૬૦) અને સમીબેન પોપટભાઈ ઠોરીયા (૬૦) રહે.બંને માળિયા ફાટક પાસે મોરબી-૨ ને ઇજાઓ થઈ હતી જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News