મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ


SHARE













મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ

મોરબી નજીકના જોધપર ગામ પાસે જાહેરમાં ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેંકી દેવામાં આવેલ છે તેના માહિતિ મળી હતી જેથી કરીને આજે વહેલી સવારે કર્તવ્ય જીવદયા કેન્દ્રના જીવદયા પ્રેમી યુવાન ત્યાં ઘટના સ્થળે પહોચ્યા હતા અને સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટી જાય તેવી રીતે જે ગૌવંશના મૃતદેહને ફેંકવામાં આવેલ છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે

મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે તેવા સમયે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૧૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ હોય તેવું જોવા જાણવા મળ્યું હતું જેથી આજે વહેલી સવારે જીવદયા પ્રેમી સંસ્થાના સંચાલક વિષ્ણુભાઈ પટેલ ત્યાં પહોચ્યા હતા અને એકી સાથે લગભગ ૧૦૦ જેટલા ગૌવંશોના રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહને શિકારી કુતરા ફાડી ખાતા હતા જેથી કરીને ગૌવંશોના મૃત્યુનો મલાજો જળવાઇ તે રીતે તેનો નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી અને જવાબદાર અધિકારીને પણ આ ઘટનાની જાણ કરેલ છે 






Latest News