મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ


SHARE







મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ

મોરબી નજીકના જોધપર ગામ પાસે જાહેરમાં ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેંકી દેવામાં આવેલ છે તેના માહિતિ મળી હતી જેથી કરીને આજે વહેલી સવારે કર્તવ્ય જીવદયા કેન્દ્રના જીવદયા પ્રેમી યુવાન ત્યાં ઘટના સ્થળે પહોચ્યા હતા અને સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટી જાય તેવી રીતે જે ગૌવંશના મૃતદેહને ફેંકવામાં આવેલ છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે

મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે તેવા સમયે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૧૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ હોય તેવું જોવા જાણવા મળ્યું હતું જેથી આજે વહેલી સવારે જીવદયા પ્રેમી સંસ્થાના સંચાલક વિષ્ણુભાઈ પટેલ ત્યાં પહોચ્યા હતા અને એકી સાથે લગભગ ૧૦૦ જેટલા ગૌવંશોના રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહને શિકારી કુતરા ફાડી ખાતા હતા જેથી કરીને ગૌવંશોના મૃત્યુનો મલાજો જળવાઇ તે રીતે તેનો નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી અને જવાબદાર અધિકારીને પણ આ ઘટનાની જાણ કરેલ છે 






Latest News